ETV Bharat / bharat

પ્રિયંકા ગાંધીએ લોધી સ્ટેટ સ્થિત પોતાનું સરકારી મકાન ખાલી કર્યું

author img

By

Published : Jul 30, 2020, 6:57 PM IST

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હીના લોધી એસ્ટેટમાં સરકારી મકાનને ખાલી કર્યું છે. આ બંગલો ભાજપના રાજ્યસભાના સભ્ય અનિલ બલુનીને ફાળવવામાં આવ્યો છે.

પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધી

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હીના લોધી એસ્ટેટમાં સ્થિત સરકારી મકાન ખાલી કર્યું છે. નોંધપાત્ર વાત એ છે કે, પ્રિયંકા ગાંધીનો બંગલો દિલ્હીના 35 એ લોધી સ્ટેટ સ્થિત છે, તે ભાજપના રાજ્યસભાના સભ્ય અનિલ બલુનીને ફાળવવામાં આવ્યો છે. પ્રિયંકા ગાંધીને 1 ઓગસ્ટ સુધીમાં બંગલો ખાલી કરવાનો હતો.

પ્રિયંકા સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, તે ગુરુગ્રામમાં થોડા દિવસ રોકાશે અને ત્યારબાદ મધ્ય દિલ્હી વિસ્તારના નિવાસમાં રહેવા જશે. સૂત્રો કહે છે કે, પ્રિયંકાએ તેમના નિવાસસ્થાન માટે મધ્ય દિલ્હીમાં રોકાવાનું નક્કી કર્યું છે, પેઇન્ટિંગ અને સમારકામનું કામ ચાલી રહ્યું છે.

ગત 1 જુલાઈએ કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે પ્રિયંકા ગાંધીના બંગલાની ફાળવણી રદ કરતાં કહ્યું હતું કે, એસપીજી સુરક્ષા પાછી ખેંચ્યા બાદ રહેણાંક સુવિધા મેળવવાના તે હકદાર નથી.

બલુનીએ આરોગ્યના આધારે આવાસ બદલવાની વિનંતી કરી હતી. થોડા સમય પહેલા તેની કેન્સરની સારવાર થઈ હતી. તેમને આ આધારે બંગલો પણ ફાળવવામાં આવ્યો છે.

પ્રિયંકા ગાંધીએ અનિલ બલુનીને તેના ઘરે ચા માટે આમંત્રણ આપ્યું હતું. પ્રિયંકાએ અનિલ બલુની અને તેની પત્ની સાથે પણ ફોન પર વાત કરી હતી. પ્રિયંકા ગાંધીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે, 'આજે મેં અનિલ બલુની અને તેમની પત્ની સાથે વાત કરી. હું ભગવાનને તેમના સારા સ્વાસ્થ્ય અને ખુશીઓ માટે પ્રાર્થના કરું છું. તેમને નવા ઘરની શુભેચ્છા આપતી વખતે, હું આશા રાખું છું કે તેમને પણ આ એટલી જ ખુશી આપે જેટલી મને અને મારા પરિવારને આપી છે.’

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હીના લોધી એસ્ટેટમાં સ્થિત સરકારી મકાન ખાલી કર્યું છે. નોંધપાત્ર વાત એ છે કે, પ્રિયંકા ગાંધીનો બંગલો દિલ્હીના 35 એ લોધી સ્ટેટ સ્થિત છે, તે ભાજપના રાજ્યસભાના સભ્ય અનિલ બલુનીને ફાળવવામાં આવ્યો છે. પ્રિયંકા ગાંધીને 1 ઓગસ્ટ સુધીમાં બંગલો ખાલી કરવાનો હતો.

પ્રિયંકા સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, તે ગુરુગ્રામમાં થોડા દિવસ રોકાશે અને ત્યારબાદ મધ્ય દિલ્હી વિસ્તારના નિવાસમાં રહેવા જશે. સૂત્રો કહે છે કે, પ્રિયંકાએ તેમના નિવાસસ્થાન માટે મધ્ય દિલ્હીમાં રોકાવાનું નક્કી કર્યું છે, પેઇન્ટિંગ અને સમારકામનું કામ ચાલી રહ્યું છે.

ગત 1 જુલાઈએ કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે પ્રિયંકા ગાંધીના બંગલાની ફાળવણી રદ કરતાં કહ્યું હતું કે, એસપીજી સુરક્ષા પાછી ખેંચ્યા બાદ રહેણાંક સુવિધા મેળવવાના તે હકદાર નથી.

બલુનીએ આરોગ્યના આધારે આવાસ બદલવાની વિનંતી કરી હતી. થોડા સમય પહેલા તેની કેન્સરની સારવાર થઈ હતી. તેમને આ આધારે બંગલો પણ ફાળવવામાં આવ્યો છે.

પ્રિયંકા ગાંધીએ અનિલ બલુનીને તેના ઘરે ચા માટે આમંત્રણ આપ્યું હતું. પ્રિયંકાએ અનિલ બલુની અને તેની પત્ની સાથે પણ ફોન પર વાત કરી હતી. પ્રિયંકા ગાંધીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે, 'આજે મેં અનિલ બલુની અને તેમની પત્ની સાથે વાત કરી. હું ભગવાનને તેમના સારા સ્વાસ્થ્ય અને ખુશીઓ માટે પ્રાર્થના કરું છું. તેમને નવા ઘરની શુભેચ્છા આપતી વખતે, હું આશા રાખું છું કે તેમને પણ આ એટલી જ ખુશી આપે જેટલી મને અને મારા પરિવારને આપી છે.’

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.