ETV Bharat / bharat

બાંધકામ કામદારોના 3200 કરોડના કૌભાંડની CBI તપાસની માંગ, કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ ફટકારી - કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ ફટકારી

દિલ્હી હાઈકોર્ટે પ્રવાસી અને બાંધકામ કામદારો માટે દિલ્હીમાં 3200 કરોડ રૂપિયાના કથિત કૌભાંડની CBI તપાસની માંગ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ ફટકારી છે. જસ્ટિસ વિપિન સાંધીની અધ્યક્ષતાવાળી ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કરી હતી. જેમાં 2 જુલાઈ સુધીમાં જવાબ ફાઇલ કરવાની સૂચના આપી હતી.

બાંધકામ કામદારો માટે 3200 કરોડના કૌભાંડની CBI તપાસની માંગ
બાંધકામ કામદારો માટે 3200 કરોડના કૌભાંડની CBI તપાસની માંગ
author img

By

Published : Jun 16, 2020, 10:56 PM IST

નવી દિલ્હી : પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્મૃતિ સંસ્થા નામની NGO દ્વારા આ અરજી કરવામાં આવી હતી. અરજદાર વતી વરિષ્ઠ વકીલો સિદ્ધાર્થ લુથરા, આર બાલાજી અને યોગેશ પચૌરીએ કહ્યું હતું કે, દિલ્હી સરકારને આદેશ આપવામાં આવે કે તેઓ ફંડમાંથી નિર્માણ કામદારોને પૈસા આપે.

અરજીમાં જણાવાયું છે કે, આ મામલે ટ્રેડ યુનિયન અને કર્મચારીઓની મિલનથી અુમક મજૂર જેઓ નિર્માણ મજૂર નથી છતા પણ તેવા મજૂરોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આવા કામદારોની નોંધણી એમ કહીને કરવામાં આવી હતી કે તેઓને રકમનો 40થી 50 ટકા ભાગ મળશે.

અરજીમાં CBI જેવી સ્વતંત્ર એજન્સી પાસેથી આ મામલાની તપાસની માંગ કરવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે, છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાં નિર્માણ કામદારોને મળતી રકમ બિન-નિર્માણ કામદારોને આપવામાં આવી રહી છે.

આ અરજીમાં દિલ્હી સરકાર અને દિલ્હી બિલ્ડિંગ એન્ટ અડર કંસ્ટ્રક્શન વર્કર્સ વેલફેયપ બોર્ડની તપાસ માટે પણ માગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ કેસમાં પૈસા પાછા લેનાર જવાબદાર અધિકારીઓને અટકાવવું જોઈએ. અરજીમાં 2015-16થી 2019-20 સુધીના નાણાંને લઇ સીએજી તપાસની માંગ કરવામાં આવી છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ, બાંધકામ કામદારો માટેની નોંધણીઓમાં 80 ટકાથી વધુ બિન બાંધકામ ક્ષેત્રના કામદારો છે. તેમાંથી ઘણા દિલ્હીમાં ફ્લેટ્સ અને એપાર્ટમેન્ટ ધરાવે છે. તેઓ તેમના સરનામા પર જઈને તપાસ કરી શકે છે. તેઓ ખરેખર બાંધકામ કામ કરનારા નથી.

નવી દિલ્હી : પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્મૃતિ સંસ્થા નામની NGO દ્વારા આ અરજી કરવામાં આવી હતી. અરજદાર વતી વરિષ્ઠ વકીલો સિદ્ધાર્થ લુથરા, આર બાલાજી અને યોગેશ પચૌરીએ કહ્યું હતું કે, દિલ્હી સરકારને આદેશ આપવામાં આવે કે તેઓ ફંડમાંથી નિર્માણ કામદારોને પૈસા આપે.

અરજીમાં જણાવાયું છે કે, આ મામલે ટ્રેડ યુનિયન અને કર્મચારીઓની મિલનથી અુમક મજૂર જેઓ નિર્માણ મજૂર નથી છતા પણ તેવા મજૂરોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આવા કામદારોની નોંધણી એમ કહીને કરવામાં આવી હતી કે તેઓને રકમનો 40થી 50 ટકા ભાગ મળશે.

અરજીમાં CBI જેવી સ્વતંત્ર એજન્સી પાસેથી આ મામલાની તપાસની માંગ કરવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે, છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાં નિર્માણ કામદારોને મળતી રકમ બિન-નિર્માણ કામદારોને આપવામાં આવી રહી છે.

આ અરજીમાં દિલ્હી સરકાર અને દિલ્હી બિલ્ડિંગ એન્ટ અડર કંસ્ટ્રક્શન વર્કર્સ વેલફેયપ બોર્ડની તપાસ માટે પણ માગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ કેસમાં પૈસા પાછા લેનાર જવાબદાર અધિકારીઓને અટકાવવું જોઈએ. અરજીમાં 2015-16થી 2019-20 સુધીના નાણાંને લઇ સીએજી તપાસની માંગ કરવામાં આવી છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ, બાંધકામ કામદારો માટેની નોંધણીઓમાં 80 ટકાથી વધુ બિન બાંધકામ ક્ષેત્રના કામદારો છે. તેમાંથી ઘણા દિલ્હીમાં ફ્લેટ્સ અને એપાર્ટમેન્ટ ધરાવે છે. તેઓ તેમના સરનામા પર જઈને તપાસ કરી શકે છે. તેઓ ખરેખર બાંધકામ કામ કરનારા નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.