ETV Bharat / bharat

સાયબર એટેકથી ગભરાવાની જરૂર નથી, આ રીતે નોંધાવો ફરિયાદ

author img

By

Published : Aug 1, 2020, 12:28 PM IST

Updated : Aug 1, 2020, 4:31 PM IST

દેશમાં સાયબર એટેક વધી રહ્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા સંચાલિત રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ વિશે મોટાભાગના લોકો જાણતા નથી. જો તમે કોઈ પણ પ્રકારના સાયબર ફ્રોડનો ભોગ બન્યા છો, તો તમે ગૃહ મંત્રાલય દ્વારા સંચાલિત પોર્ટલ પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો. વિગતવાર વાંચો ...

સાયબર એટેક
સાયબર એટેક

જયપુર: કોરોના રોગચાળા દરમિયાન દેશમાં સાયબર ક્રાઇમના કેસમાં વધારો થયો છે. ગૃહ મંત્રાલયે સુનિશ્ચિત કર્યું છે કે સાયબર ક્રાઇમ અંગે રાજ્યોમાં યોજનાઓ તૈયાર કરવામાં આવી છે અને સામાન્ય લોકોને તેમના વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે, જેમાં સામાન્ય માણસને આવા ગુનાઓ સામે જાગૃત કરવા અને સાયબર ક્રાઇમનો શિકાર બનવા પર લેવામાં આવતા પગલાઓ વિશે માહિતગાર કરવામાં આવે છે.

રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ

ગૃહ મંત્રાલય દ્વારા સંચાલિત રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ વિશે મોટાભાગના લોકો જાણતા નથી. જો તમે કોઈ પણ પ્રકારના સાયબર ફ્રોડનો શિકાર બન્યા છો, તો તમે ગૃહ મંત્રાલય દ્વારા સંચાલિત પોર્ટલ પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો. પોર્ટલ પર ફરિયાદ નોંધાવ્યા પછી, તમારી ફરિયાદ તમારા સંબંધિત રાજ્યને મોકલવામાં આવે છે.

આ ઉપરાંત, તમારા મોબાઇલ પર એક નંબર આવી જાય છે. મોબાઈલ પર મળેલા નંબરના આધારે તમે જોઇ શકો છો કે તમારી ફરિયાદ પર શું પગલા લેવામાં આવ્યા છે તેને ટ્રેક કરી શકો છો. આ પહેલા, ગૃહ મંત્રાલય દ્વારા સંચાલિત રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર મહિલાઓ અને છોકરીઓ સાથે સંબંધિત સાયબર ગુનાઓ જ નોંધણી કરાવી શકાતા હતા. , પરંતુ હવે આ પોર્ટલને અપડેટ કરવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિ હવે આ પોર્ટલમાં બેન્ક ફ્રોડ, સોશિયલ મીડિયા, મોબાઇલ અથવા ઇમેઇલ હેકિંગ સંબંધિત સાયબર ગુના નોંધાવી શકે છે.

ફરિયાદ કેવી રીતે નોંધાવશો?

જે વ્યક્તિએ પોર્ટલ પર સાયબર છેતરપિંડી સંબંધિત ફરિયાદ નોંધાવી છે તેની પાસે બે વિકલ્પો છે

પ્રથમ વિકલ્પ ઓળખ જાહેર કર્યા વગર અને ગુમનામ રીતે ફરિયાદ નોંધાવવાનો છે.

બીજો વિકલ્પ ફરિયાદ નોંધાવાનો છે, જે વ્યક્તિની ઓળખ પ્રદર્શિત કરે છે. જયારે કોઈ વ્યક્તિ પોર્ટલ પર ફરિયાદ નોંધાવે છે, ઓટીપી આવે છે અને તે વ્યક્તિના મોબાઇલ પર મોકલવામાં આવે છે. પોર્ટલ પર મૂક્યા પછી જ તે તેની ફરિયાદની કેટેગરી પસંદ કરી શકે છે અને પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

સાયબર એટેકથી ગભરાવાની જરૂર નથી, આ રીતે નોંધાવો ફરિયાદ
સાયબર એટેકથી ગભરાવાની જરૂર નથી, આ રીતે નોંધાવો ફરિયાદ

વિવિધ રાજ્યોના નોડલ અધિકારીઓ સાથે સંપર્ક

પોર્ટલ પર ફરિયાદ નોંધ્યા પછી ફરિયાદીના મોબાઈલ પર ફરિયાદ નંબર આવે છે, તેના આધારે ફરિયાદ નોંધાવેલી ફરિયાદ પર પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અંગેની તમામ માહિતી મેળવી શકાય છે.

આ સાથે જ દરેક રાજ્યના નોડલ અધિકારીના નંબર અને ઇમેલ આઇડી પણ પોર્ટલ પર આવામાં આવ્યા છે. પોર્ટલ પર ફરિયાદ નોંધ્યા પછી, ફરિયાદી સંબંધિત રાજ્યના નોડલ અધિકારી સાથે સંપંર્ક કરીને પોતાની ફરિયાદ પર કાર્યવાહીની સ્થિતિની જાણકારી પ્રાપ્તકરી શેકે.

જયપુર: કોરોના રોગચાળા દરમિયાન દેશમાં સાયબર ક્રાઇમના કેસમાં વધારો થયો છે. ગૃહ મંત્રાલયે સુનિશ્ચિત કર્યું છે કે સાયબર ક્રાઇમ અંગે રાજ્યોમાં યોજનાઓ તૈયાર કરવામાં આવી છે અને સામાન્ય લોકોને તેમના વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે, જેમાં સામાન્ય માણસને આવા ગુનાઓ સામે જાગૃત કરવા અને સાયબર ક્રાઇમનો શિકાર બનવા પર લેવામાં આવતા પગલાઓ વિશે માહિતગાર કરવામાં આવે છે.

રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ

ગૃહ મંત્રાલય દ્વારા સંચાલિત રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ વિશે મોટાભાગના લોકો જાણતા નથી. જો તમે કોઈ પણ પ્રકારના સાયબર ફ્રોડનો શિકાર બન્યા છો, તો તમે ગૃહ મંત્રાલય દ્વારા સંચાલિત પોર્ટલ પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો. પોર્ટલ પર ફરિયાદ નોંધાવ્યા પછી, તમારી ફરિયાદ તમારા સંબંધિત રાજ્યને મોકલવામાં આવે છે.

આ ઉપરાંત, તમારા મોબાઇલ પર એક નંબર આવી જાય છે. મોબાઈલ પર મળેલા નંબરના આધારે તમે જોઇ શકો છો કે તમારી ફરિયાદ પર શું પગલા લેવામાં આવ્યા છે તેને ટ્રેક કરી શકો છો. આ પહેલા, ગૃહ મંત્રાલય દ્વારા સંચાલિત રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર મહિલાઓ અને છોકરીઓ સાથે સંબંધિત સાયબર ગુનાઓ જ નોંધણી કરાવી શકાતા હતા. , પરંતુ હવે આ પોર્ટલને અપડેટ કરવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિ હવે આ પોર્ટલમાં બેન્ક ફ્રોડ, સોશિયલ મીડિયા, મોબાઇલ અથવા ઇમેઇલ હેકિંગ સંબંધિત સાયબર ગુના નોંધાવી શકે છે.

ફરિયાદ કેવી રીતે નોંધાવશો?

જે વ્યક્તિએ પોર્ટલ પર સાયબર છેતરપિંડી સંબંધિત ફરિયાદ નોંધાવી છે તેની પાસે બે વિકલ્પો છે

પ્રથમ વિકલ્પ ઓળખ જાહેર કર્યા વગર અને ગુમનામ રીતે ફરિયાદ નોંધાવવાનો છે.

બીજો વિકલ્પ ફરિયાદ નોંધાવાનો છે, જે વ્યક્તિની ઓળખ પ્રદર્શિત કરે છે. જયારે કોઈ વ્યક્તિ પોર્ટલ પર ફરિયાદ નોંધાવે છે, ઓટીપી આવે છે અને તે વ્યક્તિના મોબાઇલ પર મોકલવામાં આવે છે. પોર્ટલ પર મૂક્યા પછી જ તે તેની ફરિયાદની કેટેગરી પસંદ કરી શકે છે અને પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

સાયબર એટેકથી ગભરાવાની જરૂર નથી, આ રીતે નોંધાવો ફરિયાદ
સાયબર એટેકથી ગભરાવાની જરૂર નથી, આ રીતે નોંધાવો ફરિયાદ

વિવિધ રાજ્યોના નોડલ અધિકારીઓ સાથે સંપર્ક

પોર્ટલ પર ફરિયાદ નોંધ્યા પછી ફરિયાદીના મોબાઈલ પર ફરિયાદ નંબર આવે છે, તેના આધારે ફરિયાદ નોંધાવેલી ફરિયાદ પર પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અંગેની તમામ માહિતી મેળવી શકાય છે.

આ સાથે જ દરેક રાજ્યના નોડલ અધિકારીના નંબર અને ઇમેલ આઇડી પણ પોર્ટલ પર આવામાં આવ્યા છે. પોર્ટલ પર ફરિયાદ નોંધ્યા પછી, ફરિયાદી સંબંધિત રાજ્યના નોડલ અધિકારી સાથે સંપંર્ક કરીને પોતાની ફરિયાદ પર કાર્યવાહીની સ્થિતિની જાણકારી પ્રાપ્તકરી શેકે.

Last Updated : Aug 1, 2020, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.