ETV Bharat / bharat

કોવિડ-19ના લોકડાઉનને કારણે વિવિધ ક્ષેત્રોને કેવો અને કેટલો ફટકો પડ્યો?

author img

By

Published : May 17, 2020, 8:12 PM IST

લોકડાઉનને કારણે કૃષિ ક્ષેત્રની ગતિવિધિઓ થંભી જવાને કારણે ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર વધીને 13.08 ટકા થયો હતો. શહેરી વિસ્તારોમાં પણ બેરોજગારીનો દર વધીને 14.53 ટકા નોંધાયો હતો. આ ઉપરાંત, સીએમઆઈઈએ જણાવ્યું છે કે રોજગાર મેળવનારા લોકોની સંખ્યા 41.1 કરોડથી ઘટીને 39.6 કરોડ થઈ હતી, જ્યારે બેરોજગારોની સંખ્યા 3.2 કરોડથી વધીને 3.8 કરોડ નોંધાઈ હતી.

covid-19-lockdown
કોવિડ-19

• સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી પ્રાયવેટ લિમિટેડ (સીએમઆઈઈ)ના જણાવ્યા મુજબ, માર્ચમાં બેરોજગારીનો દર 23.8 ટકા હતો, જે 8મી મે, 2020ના રોજ વધીને 24.6 ટકા થયો હતો.

• શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર

સૌથી ગંભીર ફટકો ઉડ્ડયન, પ્રવાસન, હોસ્પિટાલિટી, રિટેલ, મેન્યુફેક્ચરિંગ અને ઓટોમોટિવ ક્ષેત્રોને પડ્યો હતો..

પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્ર -

દેશના કુલ રોજગાર સર્જનમાં આ ક્ષેત્ર 12.75 ટકાનો ફાળો આપે છે, જેમાંથી 5.56 ટકા પ્રત્યક્ષ - સીધો રોજગાર અને 7.19 ટકા અપ્રત્યક્ષ રોજગાર સર્જાય છે. વર્ષ 2018-19માં ટુરિઝમ ક્ષેત્રમાં 8.7 કરોડ લોકો રોજગાર મેળવતા હતા, એમ પ્રવાસન મંત્રાલયના 2019-20ના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે.

ફાયનાન્સિયલ સર્વિસીઝ અને બિઝનેસ એડવાયઝરીની સેવાઓ આપતી કંપની કેપીએમજીએ તેના પહેલી એપ્રિલના અહેવાલમાં જણાવ્યું છે કે “કોવિડ-19ના કારણે ભારતીય પ્રવાસન અને હોસ્પિટાલિટી ઉદ્યોગમાં આશરે 3.8 કરોડ એટલે કે કુલ કર્મચારીઓના 70 ટકા લોકો રોજગાર ગુમાવે તેવી સંભાવના છે.”

વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલના જણાવ્યા મુજબ ભારતમાં ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રે લગભગ 90 લાખ રોજગાર - ગોવાની વસ્તીના છ ગણા - જોખમમાં છે.

ઉડ્ડયન ક્ષેત્ર -

ટ્રાવેલ અને ટુરિઝમ કન્સલ્ટન્સીની સેવાઓ પૂરી પાડતી અગ્રણી કંપની સીએપીએ ઈન્ડિયાએ ગયા મહિને એક અહેવાલમાં જણાવ્યું હતું કે કોવિડ-19ની કટોકટીને પગલે વૈશ્વિક ઉડ્ડયન ગતિવિધિઓ 66 ટકાથી વધુ ઘટી છે. 15મી એપ્રિલના રોજ વૈશ્વિક એરલાઈન્સોના જૂથ ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસીએશન (આઈએટીએ)એ નોંધ્યું હતું કે ભારતના ઉડ્ડયન ક્ષેત્રે 20 લાખથી વધુ નોકરીઓ જોખમમાં છે.

ઓટોમોબાઈલ ક્ષેત્ર

ભારતમાં ઓટોમોબાઈલ ક્ષેત્રને મહત્ત્વની મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓ બંધ કરવાની ફરજ પડી હતી અને તેને પગલે ઉદ્યોગનાં ઉત્પાદન અને વેચાણમાં તીવ્ર ઘટાડો થયો છે. મોટા ભાગના પ્લાન્ટ્સ બંધ રહેવાને પગલે ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગની મોટી કંપનીઓએ પગાર કાપ જાહેર કર્યા છે અને ડિલરશીપ્સ ફરી શરૂ કરવા અંગેના નિર્ણયની હજુ રાહ જોવાય છે.

રિયલ એસ્ટેટ ક્ષેત્ર

લોકડાઉનને કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્રનું ભાવિ પણ અત્યંત ધૂંધળું બન્યું છે. એનારોક ગ્રુપે એક અહેવાલમાં જણાવ્યું છે કે વાર્ષિક ધોરણે ઘરનાં વેચાણોમાં 25-35 ટકા ઘટાડો થશે, જ્યારે ઓફિસના વેચાણોમાં 13-30 ટકાનો ઘટાડો જોવા મળશે. લોકડાઉન બાદ કર્મચારીઓને ફરી કામે ચઢતાં તેમજ વ્યવસ્થાતંત્ર અને કાચો માલ સુવ્યવસ્થિત બનતાં થોડાંક સપ્તાહનો સમય લાગશે. અધૂરા પ્રોજેક્ટોને પૂરા કરવાની પણ ઉતાવળ હશે.

એમએસએમઈ ક્ષેત્ર -

સરકાર તરફથી સહાય મળ્યા પછી પણ અનેક સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો (એમએસએમઈ) ખોટ ઉપરનું પોતાનું નિયંત્રણ લગભગ ગુમાવી ચૂક્યા છે અને કમાણી ઊભી કરી શકવા અસમર્થ છે તેમજ ટકી રહેવા માટે મથી રહ્યા છે. જો સરકાર અસ્તિત્ત્વ ટકાવીને કામકાજ ફરી ચાલુ કરવા માટે કોઈ પેકેજ નહીં આપે તો સમગ્ર ટેક્સ્ટાઈલ ચેઇનમાં એક કરોડ રોજગાર જોખમમાં છે.

નિકાસ ક્ષેત્ર -

ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના અનુમાન મુજબ, કોવિડ-19ને કારણે વૈશ્વિક વેપારનું ભાવિ અંધકારમય બનતાં ભારતમાં 1.5 કરોડથી વધુ લોકો નોકરી ગુમાવે તેવી સંભાવના સર્જાઈ છે.

એકલા એપરલ એક્સપોર્ટ ક્ષેત્રમાં ઓર્ડર્સ રદ્દ થવાને કારણે 25થી 30 લાખ લોકો નોકરી ગુમાવશે, તેવી ધારણા છે.

આઈટી ક્ષેત્ર -

આગામી મહિનાઓમાં ભારતની વિવિધ આઈટી કંપનીઓમાં 1.5 લાખથી વધુ લોકો નોકરી ગુમાવશે તેવું અનુમાન ત્રીજી એપ્રિલના રોજ મનીકન્ટ્રોલે વ્યક્ત કર્યું હતું.

કૃષિ -

કૃષિ ક્ષેત્રે ધિરાણો ઉદ્યોગની કમર તોડી નાંખશે તેમ જણાય છે. ખેડૂતો તેમના પાકની લણણી કરી શક્યા નથી, અથવા તો લણેલા પાકને મંડી સુધી સમયસય પહોંચાડી શક્યા નથી. આને પગલે આગામી કેટલીક સિઝનો સુધી તેઓ દેવા તળે ડૂબેલા રહેશે.

અનૌપચારિક / અસંગઠિત ક્ષેત્ર -

લોકડાઉનના બે જ સપ્તાહમાં દેશમાં આશરે 11.9 કરોડ શ્રમિકોએ તેમના રોજગાર ગુમાવ્યા હતા.

શહેરી વિસ્તારોમાં આશરે 9.3 કરોડ અનૌપચારિક - અસંગઠિત કામકાદરો પાંચ ક્ષેત્રોમાં રોકાયેલા છે, જેના ઉપર સૌથી વધુ અસર થઈ છે. આ ક્ષેત્રો છે - મેન્યુફેક્ચરિંગ (2.8 કરોડ), ટ્રેડ, હોટેલ અને રેસ્ટોરન્ટ (3.2 કરોડ), બાંધકામ (1.5 કરોડ), ટ્રાન્સપોર્ટ, સ્ટોરેજ અને કમ્યુનિકેશન્સ (1.1 કરોડ) તેમજ ફાયનાન્સ, બિઝનેસ અને રિયલ એસ્ટેટ (70 લાખ) (પિરિયોડિક લેબર ફોર્સ સર્વે, 2017-18 મુજબ)

ટેકનિકલ વિશ્લેષણ દર્શાવે છે કે સૌથી વધુ અસર થઈ હોય તેવા અસંગઠિત ક્ષેત્રના કામદારોની સંખ્યા આશરે ચાર કરોડ છે.

નાની દુકાન ઉપર કામ કરતા સેલ્સપર્સન્સ અને ડેમોન્સ્ટ્રેટર્સ (માલ વેચનાર અને રજૂ કરનાર) (1.3 કરોડ), બાંધકામમાં શ્રમિકો ( 70 લાખ), મેન્યુફેક્ચરિંગમાં કામદારો (30 લાખ), પરિવહનમાં (20 લાખ), ઘરકામમાં મદદ કરનાર (40 લાખ), હાઉસ કીપિંગ અને રેસ્ટોરન્ટ સર્વિસ ક્ષેત્રના કામદાર (30 લાખ), રંગ કરનારા અને બિલ્ડિંગ સ્ટ્રક્ચર સફાઈ કરનારા (30 લાખ), સ્ટૉલ અને માર્કેટ સેલ્સપર્સન્સ (20 લાખ), ફેરિયા (20 લાખ) તેમજ કચરો વીણનારા (10 લાખ) છે..


દેશના અંદાજે 12 કરોડ પરપ્રાંતિય શ્રમિકો, જે દૈનિક વેતન ઉપર કામ કરે છે, તેમને આ કટોકટીમાં સૌથી વધુ ફટકો પડ્યો છે.

વિવિધ ક્ષેત્રોમાં નોકરી આપવામાં ઘટાડો જોવા મળ્યો –

ટ્રાવેલ અને હોસ્પિટાલિટી ક્ષેત્રે 56 ટકા, રિટેલમાં 50 ટકા, ઓટોમોબાઈલ અને એન્સિલરીઝ 38 ટકા, ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે 26 ટકા, વીમા ઉદ્યોગમાં 11 ટકા, સોફ્ટવેર ક્ષેત્રે 11 ટકા અને બેન્કિંગ તેમજ ફાયનાન્સિયલ સેવાઓના ક્ષેત્રે નોકરી આપવામાં 9 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ઝી એન્ટરટેઇન્મેન્ટ અને સન ટીવીએ જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન જાહેરખબરની આવકમાં અનુક્રમે 28 ટકા અને 20 ટકા ઘટાડો નોંધાવ્યો છે. તાતા કન્સલ્ટન્સી સર્વિસીઝ (ટીસીએસ), ઈન્ફોસિસ, એચસીએલ ટેકનોલોજીસ જેવી ટેકનોલોજી ક્ષેત્રની અગ્રણી કંપનીઓએ પણ માર્ચમાં નોકરી આપવાનો દર નવ ટકા જેટલો ઘટાડ્યો છે. ઉપરાંત, ઓયો હોટેલ્સ એન્ડ હોમ્સે તેની ઘરઆંગણાની તેમજ આંતરરાષ્ટ્રીય ઓફિસોમાંથી કર્મચારીઓની સંખ્યા 16 ટકા (4,000 કર્મચારીઓ) ઘટાડી છે. જ્યારે ઓલાએ તેના 8 ટકા કર્મચારીઓને પાણીચું આપ્યું છે. ક્વિકરે લોકડાઉન દરમ્યાન 900 કર્મચારીઓને તિલાંજલિ આપી છે. ઉપરાંત, રિટેલર્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા (આરએઆઈ)એ જણાવ્યું છે કે રિટેલ ક્ષેત્રના આશરે 40 ટકા કર્મચારીઓ પોતાની નોકરી ગુમાવી છે.

રોજગાર

14.5 લાખ - ઈ-કોમર્સ

69.9 લાખ - ફૂડ પ્રોસેસિંગ

474 લાખ - રિટેલ

500 લાખ - પ્રવાસન

602 લાખ - મકાન બાંધકામ

• સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી પ્રાયવેટ લિમિટેડ (સીએમઆઈઈ)ના જણાવ્યા મુજબ, માર્ચમાં બેરોજગારીનો દર 23.8 ટકા હતો, જે 8મી મે, 2020ના રોજ વધીને 24.6 ટકા થયો હતો.

• શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર

સૌથી ગંભીર ફટકો ઉડ્ડયન, પ્રવાસન, હોસ્પિટાલિટી, રિટેલ, મેન્યુફેક્ચરિંગ અને ઓટોમોટિવ ક્ષેત્રોને પડ્યો હતો..

પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્ર -

દેશના કુલ રોજગાર સર્જનમાં આ ક્ષેત્ર 12.75 ટકાનો ફાળો આપે છે, જેમાંથી 5.56 ટકા પ્રત્યક્ષ - સીધો રોજગાર અને 7.19 ટકા અપ્રત્યક્ષ રોજગાર સર્જાય છે. વર્ષ 2018-19માં ટુરિઝમ ક્ષેત્રમાં 8.7 કરોડ લોકો રોજગાર મેળવતા હતા, એમ પ્રવાસન મંત્રાલયના 2019-20ના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે.

ફાયનાન્સિયલ સર્વિસીઝ અને બિઝનેસ એડવાયઝરીની સેવાઓ આપતી કંપની કેપીએમજીએ તેના પહેલી એપ્રિલના અહેવાલમાં જણાવ્યું છે કે “કોવિડ-19ના કારણે ભારતીય પ્રવાસન અને હોસ્પિટાલિટી ઉદ્યોગમાં આશરે 3.8 કરોડ એટલે કે કુલ કર્મચારીઓના 70 ટકા લોકો રોજગાર ગુમાવે તેવી સંભાવના છે.”

વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલના જણાવ્યા મુજબ ભારતમાં ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રે લગભગ 90 લાખ રોજગાર - ગોવાની વસ્તીના છ ગણા - જોખમમાં છે.

ઉડ્ડયન ક્ષેત્ર -

ટ્રાવેલ અને ટુરિઝમ કન્સલ્ટન્સીની સેવાઓ પૂરી પાડતી અગ્રણી કંપની સીએપીએ ઈન્ડિયાએ ગયા મહિને એક અહેવાલમાં જણાવ્યું હતું કે કોવિડ-19ની કટોકટીને પગલે વૈશ્વિક ઉડ્ડયન ગતિવિધિઓ 66 ટકાથી વધુ ઘટી છે. 15મી એપ્રિલના રોજ વૈશ્વિક એરલાઈન્સોના જૂથ ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસીએશન (આઈએટીએ)એ નોંધ્યું હતું કે ભારતના ઉડ્ડયન ક્ષેત્રે 20 લાખથી વધુ નોકરીઓ જોખમમાં છે.

ઓટોમોબાઈલ ક્ષેત્ર

ભારતમાં ઓટોમોબાઈલ ક્ષેત્રને મહત્ત્વની મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓ બંધ કરવાની ફરજ પડી હતી અને તેને પગલે ઉદ્યોગનાં ઉત્પાદન અને વેચાણમાં તીવ્ર ઘટાડો થયો છે. મોટા ભાગના પ્લાન્ટ્સ બંધ રહેવાને પગલે ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગની મોટી કંપનીઓએ પગાર કાપ જાહેર કર્યા છે અને ડિલરશીપ્સ ફરી શરૂ કરવા અંગેના નિર્ણયની હજુ રાહ જોવાય છે.

રિયલ એસ્ટેટ ક્ષેત્ર

લોકડાઉનને કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્રનું ભાવિ પણ અત્યંત ધૂંધળું બન્યું છે. એનારોક ગ્રુપે એક અહેવાલમાં જણાવ્યું છે કે વાર્ષિક ધોરણે ઘરનાં વેચાણોમાં 25-35 ટકા ઘટાડો થશે, જ્યારે ઓફિસના વેચાણોમાં 13-30 ટકાનો ઘટાડો જોવા મળશે. લોકડાઉન બાદ કર્મચારીઓને ફરી કામે ચઢતાં તેમજ વ્યવસ્થાતંત્ર અને કાચો માલ સુવ્યવસ્થિત બનતાં થોડાંક સપ્તાહનો સમય લાગશે. અધૂરા પ્રોજેક્ટોને પૂરા કરવાની પણ ઉતાવળ હશે.

એમએસએમઈ ક્ષેત્ર -

સરકાર તરફથી સહાય મળ્યા પછી પણ અનેક સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો (એમએસએમઈ) ખોટ ઉપરનું પોતાનું નિયંત્રણ લગભગ ગુમાવી ચૂક્યા છે અને કમાણી ઊભી કરી શકવા અસમર્થ છે તેમજ ટકી રહેવા માટે મથી રહ્યા છે. જો સરકાર અસ્તિત્ત્વ ટકાવીને કામકાજ ફરી ચાલુ કરવા માટે કોઈ પેકેજ નહીં આપે તો સમગ્ર ટેક્સ્ટાઈલ ચેઇનમાં એક કરોડ રોજગાર જોખમમાં છે.

નિકાસ ક્ષેત્ર -

ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના અનુમાન મુજબ, કોવિડ-19ને કારણે વૈશ્વિક વેપારનું ભાવિ અંધકારમય બનતાં ભારતમાં 1.5 કરોડથી વધુ લોકો નોકરી ગુમાવે તેવી સંભાવના સર્જાઈ છે.

એકલા એપરલ એક્સપોર્ટ ક્ષેત્રમાં ઓર્ડર્સ રદ્દ થવાને કારણે 25થી 30 લાખ લોકો નોકરી ગુમાવશે, તેવી ધારણા છે.

આઈટી ક્ષેત્ર -

આગામી મહિનાઓમાં ભારતની વિવિધ આઈટી કંપનીઓમાં 1.5 લાખથી વધુ લોકો નોકરી ગુમાવશે તેવું અનુમાન ત્રીજી એપ્રિલના રોજ મનીકન્ટ્રોલે વ્યક્ત કર્યું હતું.

કૃષિ -

કૃષિ ક્ષેત્રે ધિરાણો ઉદ્યોગની કમર તોડી નાંખશે તેમ જણાય છે. ખેડૂતો તેમના પાકની લણણી કરી શક્યા નથી, અથવા તો લણેલા પાકને મંડી સુધી સમયસય પહોંચાડી શક્યા નથી. આને પગલે આગામી કેટલીક સિઝનો સુધી તેઓ દેવા તળે ડૂબેલા રહેશે.

અનૌપચારિક / અસંગઠિત ક્ષેત્ર -

લોકડાઉનના બે જ સપ્તાહમાં દેશમાં આશરે 11.9 કરોડ શ્રમિકોએ તેમના રોજગાર ગુમાવ્યા હતા.

શહેરી વિસ્તારોમાં આશરે 9.3 કરોડ અનૌપચારિક - અસંગઠિત કામકાદરો પાંચ ક્ષેત્રોમાં રોકાયેલા છે, જેના ઉપર સૌથી વધુ અસર થઈ છે. આ ક્ષેત્રો છે - મેન્યુફેક્ચરિંગ (2.8 કરોડ), ટ્રેડ, હોટેલ અને રેસ્ટોરન્ટ (3.2 કરોડ), બાંધકામ (1.5 કરોડ), ટ્રાન્સપોર્ટ, સ્ટોરેજ અને કમ્યુનિકેશન્સ (1.1 કરોડ) તેમજ ફાયનાન્સ, બિઝનેસ અને રિયલ એસ્ટેટ (70 લાખ) (પિરિયોડિક લેબર ફોર્સ સર્વે, 2017-18 મુજબ)

ટેકનિકલ વિશ્લેષણ દર્શાવે છે કે સૌથી વધુ અસર થઈ હોય તેવા અસંગઠિત ક્ષેત્રના કામદારોની સંખ્યા આશરે ચાર કરોડ છે.

નાની દુકાન ઉપર કામ કરતા સેલ્સપર્સન્સ અને ડેમોન્સ્ટ્રેટર્સ (માલ વેચનાર અને રજૂ કરનાર) (1.3 કરોડ), બાંધકામમાં શ્રમિકો ( 70 લાખ), મેન્યુફેક્ચરિંગમાં કામદારો (30 લાખ), પરિવહનમાં (20 લાખ), ઘરકામમાં મદદ કરનાર (40 લાખ), હાઉસ કીપિંગ અને રેસ્ટોરન્ટ સર્વિસ ક્ષેત્રના કામદાર (30 લાખ), રંગ કરનારા અને બિલ્ડિંગ સ્ટ્રક્ચર સફાઈ કરનારા (30 લાખ), સ્ટૉલ અને માર્કેટ સેલ્સપર્સન્સ (20 લાખ), ફેરિયા (20 લાખ) તેમજ કચરો વીણનારા (10 લાખ) છે..


દેશના અંદાજે 12 કરોડ પરપ્રાંતિય શ્રમિકો, જે દૈનિક વેતન ઉપર કામ કરે છે, તેમને આ કટોકટીમાં સૌથી વધુ ફટકો પડ્યો છે.

વિવિધ ક્ષેત્રોમાં નોકરી આપવામાં ઘટાડો જોવા મળ્યો –

ટ્રાવેલ અને હોસ્પિટાલિટી ક્ષેત્રે 56 ટકા, રિટેલમાં 50 ટકા, ઓટોમોબાઈલ અને એન્સિલરીઝ 38 ટકા, ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે 26 ટકા, વીમા ઉદ્યોગમાં 11 ટકા, સોફ્ટવેર ક્ષેત્રે 11 ટકા અને બેન્કિંગ તેમજ ફાયનાન્સિયલ સેવાઓના ક્ષેત્રે નોકરી આપવામાં 9 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ઝી એન્ટરટેઇન્મેન્ટ અને સન ટીવીએ જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન જાહેરખબરની આવકમાં અનુક્રમે 28 ટકા અને 20 ટકા ઘટાડો નોંધાવ્યો છે. તાતા કન્સલ્ટન્સી સર્વિસીઝ (ટીસીએસ), ઈન્ફોસિસ, એચસીએલ ટેકનોલોજીસ જેવી ટેકનોલોજી ક્ષેત્રની અગ્રણી કંપનીઓએ પણ માર્ચમાં નોકરી આપવાનો દર નવ ટકા જેટલો ઘટાડ્યો છે. ઉપરાંત, ઓયો હોટેલ્સ એન્ડ હોમ્સે તેની ઘરઆંગણાની તેમજ આંતરરાષ્ટ્રીય ઓફિસોમાંથી કર્મચારીઓની સંખ્યા 16 ટકા (4,000 કર્મચારીઓ) ઘટાડી છે. જ્યારે ઓલાએ તેના 8 ટકા કર્મચારીઓને પાણીચું આપ્યું છે. ક્વિકરે લોકડાઉન દરમ્યાન 900 કર્મચારીઓને તિલાંજલિ આપી છે. ઉપરાંત, રિટેલર્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા (આરએઆઈ)એ જણાવ્યું છે કે રિટેલ ક્ષેત્રના આશરે 40 ટકા કર્મચારીઓ પોતાની નોકરી ગુમાવી છે.

રોજગાર

14.5 લાખ - ઈ-કોમર્સ

69.9 લાખ - ફૂડ પ્રોસેસિંગ

474 લાખ - રિટેલ

500 લાખ - પ્રવાસન

602 લાખ - મકાન બાંધકામ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.