ETV Bharat / bharat

તણાવ ઓછો કરવા માટે ભારત-ચીન વચ્ચે પાંચ મુદ્દા અંગે થઈ સંમતિ

author img

By

Published : Sep 11, 2020, 7:44 AM IST

ગુરુવારે રાત્રે મોસ્કોમાં ભારત અને ચીનના વિદેશ પ્રધાનો મળ્યા હતા. બંને નેતાઓએ વાસ્તવિક નિયંત્રણ લાઇન પર તણાવ ન વધારવા સંમતિ આપી છે. જોકે, ભારતીય પક્ષે સ્પષ્ટ કર્યું છે કે LAC પાસે મોટી સંખ્યામાં ચીની સૈનિકો તૈનાતી યોગ્ય નથી. ભારતે કહ્યું કે, ચીને તમામ પ્રોટોકોલોનું સન્માન કરવું જોઈએ.

ભારત - ચીન
ભારત - ચીન

નવી દિલ્હી / મોસ્કો: ભારતીય વિદેશ પ્રધાન એસ.જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે ગુરુવારે રાત્રે મોસ્કોમાં મળેલી બેઠકમાં, વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ સમાપ્ત કરવા માટે એક મહત્વપૂર્ણ કરાર થયો છે. બંને પક્ષો વચ્ચે પાંચ મુદ્દાની સમજૂતી થઈ હોવાના અહેવાલ છે.

  • પાંચ મુદ્દાના કરારમાં બંને દેશો વચ્ચે સંધિઓ અને પ્રોટોકોલોનું સન્માન થવું જોઈએ.
  • ચીને પરસ્પર મતભેદોને વિવાદિત થવા ન દેવા જોઈએ.
  • LAC પર સૈનીકો પાછળ હટે.
  • બંને પક્ષો વચ્ચે વાતચીત યથાવત રાખવી જોઈએ
  • ચીન તણાવ વધે એવા પગલા ન લે

એસ.જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે ગુરુવારે રાત્રે આઠ વાગ્યા પછી વાટાઘાટો શરૂ થઈ હતી અને ઓછામાં ઓછા બે કલાક સુધી ચાલી હતી. વાતચીતનું એકમાત્ર લક્ષ્ય સરહદ પર તણાવ ઘટાડવાનું હતું.

બેઠક બાદ ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, એસ જયશંકર અને વાંગ યી સંમત થયા છે કે, ભારત-ચીન સંબંધો વિકસાવવા માટે બંને પક્ષોએ નેતાઓની સર્વસંમતિથી માર્ગદર્શન લેવું જોઈએ .

નવી દિલ્હી / મોસ્કો: ભારતીય વિદેશ પ્રધાન એસ.જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે ગુરુવારે રાત્રે મોસ્કોમાં મળેલી બેઠકમાં, વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ સમાપ્ત કરવા માટે એક મહત્વપૂર્ણ કરાર થયો છે. બંને પક્ષો વચ્ચે પાંચ મુદ્દાની સમજૂતી થઈ હોવાના અહેવાલ છે.

  • પાંચ મુદ્દાના કરારમાં બંને દેશો વચ્ચે સંધિઓ અને પ્રોટોકોલોનું સન્માન થવું જોઈએ.
  • ચીને પરસ્પર મતભેદોને વિવાદિત થવા ન દેવા જોઈએ.
  • LAC પર સૈનીકો પાછળ હટે.
  • બંને પક્ષો વચ્ચે વાતચીત યથાવત રાખવી જોઈએ
  • ચીન તણાવ વધે એવા પગલા ન લે

એસ.જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે ગુરુવારે રાત્રે આઠ વાગ્યા પછી વાટાઘાટો શરૂ થઈ હતી અને ઓછામાં ઓછા બે કલાક સુધી ચાલી હતી. વાતચીતનું એકમાત્ર લક્ષ્ય સરહદ પર તણાવ ઘટાડવાનું હતું.

બેઠક બાદ ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, એસ જયશંકર અને વાંગ યી સંમત થયા છે કે, ભારત-ચીન સંબંધો વિકસાવવા માટે બંને પક્ષોએ નેતાઓની સર્વસંમતિથી માર્ગદર્શન લેવું જોઈએ .

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.