રાહુલ ગાંધીએ ટ્વિટ કરી રાજ્યપાલને વિપક્ષી દળોના નેતા સાથે જમ્મૂનો પ્રવાસ કરવાની અને લોકો સાથે વાત કરવાની માગ કરી હતી. રાહુલ ગાંધીના ટ્વિટ પર રાજ્યપાલે જવાબ આપ્યો હતો. તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાંધતા કહ્યું કે , રાહુલ આ મામલે રાજનીતિકરણ કરવાની કોંશિશ કરી રહ્યો છે.
![ટ્વિટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4128401_klkl.jpg)
વધુમાં રાજ્યપાલે કહ્યું કે, રાહુલ ગાંધી કોઈ ફેક ન્યૂઝના કારણે આવી પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેની સાથે તેમણે કહ્યું કે, જમ્મૂનો માહોલ શાંતિપૂર્ણ છે. જમ્મૂ -કાશ્મીરના રાજ્યપાલે રાહુલ ગાંધીને જમ્મૂમાં આવવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી પોતે જમ્મૂમાં આવે અને માહોલ નિરીક્ષણ કરે.