ETV Bharat / bharat

શોપિયા એન્કાઉન્ટર: મૃતકોના સબંધીઓ હોવાનો દાવો કરનારા લોકોના DNA લેવાયા - Jammu and Kashmir fake encounter

જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં કથિત ફર્જી એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ યુવકોના સબંધી હોવાનો દાવો કરનારા લોકોના DNA નમૂના સરકારી હોસ્પિટલમાં લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ ત્રણેય ગુમ થયેલા યુવકોના સબંધી હોવાનો દાવો કરનારા લોકો છે. કુલ 6 લોકોના DNA નમૂના લેવામાં આવ્યા હતા.

શોપિયા એન્કાઉન્ટર
શોપિયા એન્કાઉન્ટર
author img

By

Published : Aug 14, 2020, 5:41 PM IST

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં કથિત ફર્જી એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ યુવકોના સબંધી હોવાનો દાવો કરનારા લોકોના DNA નમૂના સરકારી હોસ્પિટલમાં લેવામાં આવ્યા છે. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે, શ્રીનગરથી આવેલી પોલીસ ટીમની હાજરીમાં નમૂના લેવામાં આવ્યા હતા.

રાજૌરીના ધારસકરી ગામનો રહેવાસી મોહમ્મદ ઇમ્તિયાઝ, ઇબરાર અહેમદ અને તરકસી ગામનો રહેવાસી, મોહમ્મદ ઇબરાર 17 જુલાઇના રોજ શોપિયામાં નોકરી કરવા ગયા હતા. જે બાદ તેમનો પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે આ ત્રણેય ગુમ થયેલા યુવકોના સબંધી હોવાનો દાવો કરનારા લોકોમાંથી કુલ 6 ના DNA નમૂના લેવામાં આવ્યા હતા. ગુરુવારે પોલીસની ટીમે યુવકના કથિત પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી હતી.

રાજૌરી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ મોહમ્મદ નઝિર શેખે જણાવ્યું કે, પોલીસ ટીમે આ અંગે વહીવટ સાથે વાત કરી હતી. ત્યારબાદ એક મેજિસ્ટ્રેટની નિમણૂક કરવામાં આવી હતી અને રાજૌરીની જીએમસી એસોસિએટેડ હોસ્પિટલમાં DNA નમૂના લેવામાં આવ્યા હતા.શેખે કહ્યું, "અમારી ભૂમિકા DNA નમૂના આપવા માટે મર્યાદિત હતી કારણ કે કાશ્મીર પોલીસ આ કેસની તપાસ કરી રહી છે."

ઈમ્તિયાઝના પિતા દ્વારા સોશિયલ મીડિયા પર કાશ્મીર જવાની પરવાનગી માગતા અને તેમના પુત્ર તથા અન્ય યુવાનોને યોગ્ય રીતે દફનાવવા માટે વિનંતી કરતા જોવા મળી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો આ ત્રણેય યુવાનોમાંથી કોઈનો આતંકવાદીઓ સાથે કોઈ સંબંધ છે તો તેઓ પરિણામ ભોગવવા તૈયાર છે.

પોલીસ મહાનિર્દેશક (કાશ્મીર રેન્જ) વિજય કુમારે ગુરુવારે જણાવ્યું હતું કે, નાયબ પોલીસ અધિક્ષક એસ.પી. મૃતકોના સબંધી હોવાનો દાવો કરનારા લોકોના DNA નમૂના લેવા માટે વજાહતની આગેવાની હેઠળની પોલીસની ટીમને રાજૌરી મોકલવામાં આવી હતી.

કુમારે કહ્યું કે, DNA નમૂનાઓ પરીક્ષણ માટે કેન્દ્રીય પ્રયોગશાળામાં મોકલવામાં આવશે. તેમણે કહ્યું, 'તપાસના બે પક્ષ છે. એક તો DNA ટેસ્ટ કરાવવાનો છે અને તે પછી અમે પણ તપાસ કરીશું કે કાશ્મીરના આ યુવાનોનું આતંકવાદીઓ સાથે કોઈ સંબંધ છે કે નહીં. અમે તેમના ફોન કોલ્સ અને અન્ય તકનીકી પાસાઓની તપાસ કરીશું.

સૈન્યને પહેલાથી જ શોપિયા જિલ્લાના અંશિપોરા ગામમાં બનેલા એન્કાઉન્ટરની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.18 જુલાઈએ સેનાએ કહ્યું કે, દક્ષિણ કાશ્મીરના શોપિયામાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. જો કે, આ સાથે સંબંધિત વધુ માહિતી શેર કરવામાં આવી ન હતી.

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં કથિત ફર્જી એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ યુવકોના સબંધી હોવાનો દાવો કરનારા લોકોના DNA નમૂના સરકારી હોસ્પિટલમાં લેવામાં આવ્યા છે. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે, શ્રીનગરથી આવેલી પોલીસ ટીમની હાજરીમાં નમૂના લેવામાં આવ્યા હતા.

રાજૌરીના ધારસકરી ગામનો રહેવાસી મોહમ્મદ ઇમ્તિયાઝ, ઇબરાર અહેમદ અને તરકસી ગામનો રહેવાસી, મોહમ્મદ ઇબરાર 17 જુલાઇના રોજ શોપિયામાં નોકરી કરવા ગયા હતા. જે બાદ તેમનો પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે આ ત્રણેય ગુમ થયેલા યુવકોના સબંધી હોવાનો દાવો કરનારા લોકોમાંથી કુલ 6 ના DNA નમૂના લેવામાં આવ્યા હતા. ગુરુવારે પોલીસની ટીમે યુવકના કથિત પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી હતી.

રાજૌરી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ મોહમ્મદ નઝિર શેખે જણાવ્યું કે, પોલીસ ટીમે આ અંગે વહીવટ સાથે વાત કરી હતી. ત્યારબાદ એક મેજિસ્ટ્રેટની નિમણૂક કરવામાં આવી હતી અને રાજૌરીની જીએમસી એસોસિએટેડ હોસ્પિટલમાં DNA નમૂના લેવામાં આવ્યા હતા.શેખે કહ્યું, "અમારી ભૂમિકા DNA નમૂના આપવા માટે મર્યાદિત હતી કારણ કે કાશ્મીર પોલીસ આ કેસની તપાસ કરી રહી છે."

ઈમ્તિયાઝના પિતા દ્વારા સોશિયલ મીડિયા પર કાશ્મીર જવાની પરવાનગી માગતા અને તેમના પુત્ર તથા અન્ય યુવાનોને યોગ્ય રીતે દફનાવવા માટે વિનંતી કરતા જોવા મળી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો આ ત્રણેય યુવાનોમાંથી કોઈનો આતંકવાદીઓ સાથે કોઈ સંબંધ છે તો તેઓ પરિણામ ભોગવવા તૈયાર છે.

પોલીસ મહાનિર્દેશક (કાશ્મીર રેન્જ) વિજય કુમારે ગુરુવારે જણાવ્યું હતું કે, નાયબ પોલીસ અધિક્ષક એસ.પી. મૃતકોના સબંધી હોવાનો દાવો કરનારા લોકોના DNA નમૂના લેવા માટે વજાહતની આગેવાની હેઠળની પોલીસની ટીમને રાજૌરી મોકલવામાં આવી હતી.

કુમારે કહ્યું કે, DNA નમૂનાઓ પરીક્ષણ માટે કેન્દ્રીય પ્રયોગશાળામાં મોકલવામાં આવશે. તેમણે કહ્યું, 'તપાસના બે પક્ષ છે. એક તો DNA ટેસ્ટ કરાવવાનો છે અને તે પછી અમે પણ તપાસ કરીશું કે કાશ્મીરના આ યુવાનોનું આતંકવાદીઓ સાથે કોઈ સંબંધ છે કે નહીં. અમે તેમના ફોન કોલ્સ અને અન્ય તકનીકી પાસાઓની તપાસ કરીશું.

સૈન્યને પહેલાથી જ શોપિયા જિલ્લાના અંશિપોરા ગામમાં બનેલા એન્કાઉન્ટરની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.18 જુલાઈએ સેનાએ કહ્યું કે, દક્ષિણ કાશ્મીરના શોપિયામાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. જો કે, આ સાથે સંબંધિત વધુ માહિતી શેર કરવામાં આવી ન હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.