ETV Bharat / bharat

દિલ્હી હાઇકોર્ટ: પ્લાઝમાને ફરજિયાત બનાવવાની હોસ્પિટલ્સની માંગ પર વિચાર કરો

દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને સૂચના આપી છે કે તે દરેક હોસ્પિટલ્સ માટે કોરોના સંક્રમિત દર્દીઓના સાજા થવા પર તેમનુ પ્લાઝમાં લેવું ફરજિયાત કરવાની માંગ કરવાવાળી અરજી પર વિચાર કરે. ચીફ જસ્ટિસ ડીએન પટેલની અધ્યક્ષતા વાળી બેંચે અરજદારની સલાહ પર કાયદા અનુસાર વિચાર કરવાની સુચના આપી છે.

author img

By

Published : Jul 3, 2020, 7:03 PM IST

eta bharat
દિલ્હી હાઇકોર્ટ: પ્લાઝમાને ફરજિયાત બનાવવાની હોસ્પિટલોની માંગ પર વિચાર કરો

નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને સૂચના આપી છે કે તે દરેક હોસ્પિટલ્સ માટે કોરોના સંક્રમિત દર્દીઓના સાજા થવા પર તેમનુ પ્લાઝમાં લેવું ફરજિયાત કરવાની માંગ કરવાવાળી અરજી પર અહેવાલની જેમ વિચાર કરે. ચીફ જસ્ટિસ ડી.એન.પટેલની અધ્યક્ષતા વાળી બેંચે અરજદારની સલાહ પર કાયદા અનુસાર વિચાર કરવાની સુચના આપી છે.

પ્લાઝમાં થેરેપી સિવાય કોરોનાનું અત્યાર સુધી કોઇ પણ અસરકારક સોલ્યુશન નથી

આ અરજી પિયુષ ગુપ્તાએ કરી હતી. અરજદાર વતી વકીલ કપિલ ગોયલે માંગ કરી હતી કે, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને માર્ગદર્શિકા જારી કરવામાં આવે કે હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સમાં પ્લાઝમા સરળતાથી મળી રહે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે હોમ આઇસોલેશન અથવા ક્વોરોન્ટાઇન રહેતા દર્દીઓ માટે પણ માર્ગદર્શિકા જારી કરવા જોઈએ. અરજીમાં જણાવાયું છે કે પ્લાઝમા થેરાપી સિવાય કોરોના માટે હજી સુધી કોઈ અસરકારક ઉપાય શોધી શકાયો નથી. પરંતુ અમારી સરકાર પ્લાઝમાની ઉપલબ્ધતા માટે અસરકારક પગલાં લઈ રહી નથી.

પ્લાઝમાંની ઉપલબ્ધતાને રેગ્યુલેટ કરવાની માંગ

અરજીમાં માંગ કરવામાં આવી છે કે પ્લાઝમાની ઉપલબ્ધતાને નિયંત્રિત કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવે, જેનાથી તમામ હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સમાં પ્લાઝમાં રાખવાનું ફરજિયાત બને. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોએ તેમાં દાખલ થયેલા કોરોના દર્દીઓનો ડેટા પૂરો પાડવો જોઈએ. સાથે જ ખાતરી આપવી જોઇએ કે આ હોસ્પિટલ્સ તંદુરસ્ત કોરોના દર્દીઓનુંજ પ્લાઝમા લે છે. આ હોસ્પિટલ્સ પ્લાઝમાની ઉપલબ્ધતા કરે ગંભીર કોરોનાના દર્દીઓને મફત અથવા ઓછા ખર્ચે પ્લાઝમાં પ્રદાન કરાવે.

નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને સૂચના આપી છે કે તે દરેક હોસ્પિટલ્સ માટે કોરોના સંક્રમિત દર્દીઓના સાજા થવા પર તેમનુ પ્લાઝમાં લેવું ફરજિયાત કરવાની માંગ કરવાવાળી અરજી પર અહેવાલની જેમ વિચાર કરે. ચીફ જસ્ટિસ ડી.એન.પટેલની અધ્યક્ષતા વાળી બેંચે અરજદારની સલાહ પર કાયદા અનુસાર વિચાર કરવાની સુચના આપી છે.

પ્લાઝમાં થેરેપી સિવાય કોરોનાનું અત્યાર સુધી કોઇ પણ અસરકારક સોલ્યુશન નથી

આ અરજી પિયુષ ગુપ્તાએ કરી હતી. અરજદાર વતી વકીલ કપિલ ગોયલે માંગ કરી હતી કે, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને માર્ગદર્શિકા જારી કરવામાં આવે કે હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સમાં પ્લાઝમા સરળતાથી મળી રહે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે હોમ આઇસોલેશન અથવા ક્વોરોન્ટાઇન રહેતા દર્દીઓ માટે પણ માર્ગદર્શિકા જારી કરવા જોઈએ. અરજીમાં જણાવાયું છે કે પ્લાઝમા થેરાપી સિવાય કોરોના માટે હજી સુધી કોઈ અસરકારક ઉપાય શોધી શકાયો નથી. પરંતુ અમારી સરકાર પ્લાઝમાની ઉપલબ્ધતા માટે અસરકારક પગલાં લઈ રહી નથી.

પ્લાઝમાંની ઉપલબ્ધતાને રેગ્યુલેટ કરવાની માંગ

અરજીમાં માંગ કરવામાં આવી છે કે પ્લાઝમાની ઉપલબ્ધતાને નિયંત્રિત કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવે, જેનાથી તમામ હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સમાં પ્લાઝમાં રાખવાનું ફરજિયાત બને. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોએ તેમાં દાખલ થયેલા કોરોના દર્દીઓનો ડેટા પૂરો પાડવો જોઈએ. સાથે જ ખાતરી આપવી જોઇએ કે આ હોસ્પિટલ્સ તંદુરસ્ત કોરોના દર્દીઓનુંજ પ્લાઝમા લે છે. આ હોસ્પિટલ્સ પ્લાઝમાની ઉપલબ્ધતા કરે ગંભીર કોરોનાના દર્દીઓને મફત અથવા ઓછા ખર્ચે પ્લાઝમાં પ્રદાન કરાવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.