નવી દિલ્હીઃ લદ્દાખમાં શહીદ થયેલા 20 ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવા દિલ્હી ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાના નેતૃત્વમાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. ઈન્ડીયા ગેટ પાસે યોજવામાં આવેલી આ કેન્ડલ માર્ચમાં લદ્દાખમાં શહીદ થયેલા 20 ભારતીય જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
દિલ્હી ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાના નેતૃત્વમાં અન્ય ઘણા ભાજપ નેતાઓ તથા કાર્યકરો પણ જોડાયા હતા.
દિલ્હી વિધાનસભા નેતા રામવીરસિંહ બિધુડી, પ્રદેશ મહામંત્રી, કુલજીતસિંહ ચહલ, ઉપાધ્યક્ષ, રાજીવ બબ્બર, સત્યેન્દ્રસિંહ, સંજીવ શર્મા, દિલ્હી ભાજપ યુવા મોરચા અધ્યક્ષ સુનીલ યાદવ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે ભાજપ અધ્યક્ષ આદેેશ ગુપ્તાએ જાણાવ્યું કે શહીદોનું બલિદાન વ્યર્થ નહી જાય. ભારતની અખંડિતતાનું રક્ષણ એ આપણા સૌની ફરજ છે. ભગવાન શહીદોના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે."