હૈદરાબાદ: કોવિડ -19 રોગચાળો દેશના લગભગ તમામ રાજ્યોમાં ફેલાઇ રહ્યો છે. સંક્રમિતો વધતી સંખ્યા ચિંતાનો વિષય છે. જો કે, સંક્રમિતના રિકવરીના દરથી થોડી રાહત છે. શુક્રવારે ભારતમાં 24 કલાકમાં 20,903 કોવિડ -19 ના સૌથી વધુ કેસ નોંધાયા છે. આ નવા કેસો સાથે, ભારતની કોરોના વાઇરસની સંખ્યા વધીને 6,25,544 પર પહોંચી છે, જેમાંથી 2,27,439 દર્દીઓ સક્રિય છે જ્યારે 3,79,891 દર્દીઓ સાજા થયા છે.
![ભારતમાં કોરોનાની હાલની સ્થિતિ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7879004_i.jpg)
ગુજરાત
રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં 687 કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 18 દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 34,686 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લાં 24 કલાકમાં 340 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
નવી દિલ્હી
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે કહ્યું હતું કે દિલ્હીવાસીઓ અને સરકારોના સંયુક્ત પ્રયાસોને કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના વાઇરસના કેસોમાં ઘટાડો થયો છે. 23 જૂને રાજધાનીમાં સૌથી વધુ કેસો નોંધાયા હતા, પરંતુ તે પછીથી સંખ્યા સતત નીચે આવી છે. જૂનનાં મધ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ વચ્ચે અનેક બેઠકો યોજાઇ હતી.
બિહાર
પટણા જિલ્લાના પાલિગંજ સબ-ડિવિઝનમાં લગ્ન સમારંભમાં 100 થી વધુ મહેમાનોનો કોવિડ ટેસ્ટ પોઝિટોવ આવ્યો હતો.દુલ્હનના પિતા સામે એફઆઈઆર નોંધાઈ છે. ભારે તાવ પછી વાઇરસના ચેપથી વરરાજાનું મોત નીપજ્યું.
આશરે 50 લોકો પર માસ્ક ન પહેરવાનો અને સામાજિક અંતર ન જાળવવા સહિતના COVID-19 પ્રોટોકોલનું પાલન કર્યા વિના લગ્નમાં જોડાવાનો આરોપ છે.
રાજસ્થાન