ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશ: કન્નૌજની જિલ્લા હોસ્પિટલમાં ડોકટરોની બેદરકારીના કારણે બાળકનું મોત

author img

By

Published : Jun 29, 2020, 10:09 PM IST

ઉત્તરપ્રદેશની કન્નૌજ જિલ્લાની હોસ્પિટલમાં દાખલ મગજના તાવથી પીડાતા એક બાળકનું મોત નીપજ્યું હતું. જો કે પરિવારે તબીબો પર બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો છે.

kannauj
kannauj

લખનઉ: ઉત્તર પ્રદેશની કન્નૌજ જિલ્લા હોસ્પિટલમાં દાખલ મગજના તાવથી પીડિત બાળકના મોત અંગે ખળભળાટ મચી ગયો, જ્યારે પરિવારે આરોપ લગાવ્યો કે બાળકનું મોત ડોકટરોની બેદરકારીના કારણે થયું છે. સાથે જ અધિકારીઓનું કહેવું છે કે બાળકની હાલત ગંભીર હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. કોઈ પણ પ્રકારની બેદરકારી નથી.

કન્નૌજ સદર કોતવાલી વિસ્તારના મિશ્રીપુર ગામમાં રહેતા પ્રેમચંદ્રના ચાર વર્ષના પુત્ર અનુજને ઘણા દિવસોથી તાવ હતો. તાવના કારણે હાલત વધુ વણસી ગઈ હતી, જેથી પરિવાર તેને લઇને જિલ્લા હોસ્પિટલમાં પહોંચ્યો હતો. લાંબા સમય સુધી પપરિવાર બાળક સાથે અહીં તહીં ભટકતો રહ્યો. આ પછી, તેને ઇમરજન્સીમાં લઈ જવામાં આવ્યો. બાળકની હાલતની તપાસ કર્યા બાદ ડો.વી.કે. શુક્લાએ બાળકને ડો.પી.એમ. યાદવ પાસે રીફર કરવામાં આવ્યો હતો.

લાંબા સમય સુધી પરિવારજનો બાળક સાથે આમતેમ ભટકતા રહ્યા, તે દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. આ અંગે પરિવારે જિલ્લા હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને હોસ્પિટલ વહીવટીતંત્રની બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો હતો.

પરિવારે અડધા કલાક સુધી હોસ્પિટલની બહાર હંગામો મચાવ્યો હતો. જ્યારે સીએમએસને આ વાતની ખબર પડી ત્યારે તેણે પરિવારને સમજ્યો અને તેમને કાર દ્વારા ઘરે મોકલવામાં આવ્યો.

સીએમએસ ડો.ઉમેશચંદ્ર ચતુર્વેદીએ જણાવ્યું કે બાળકને પહેલા ઇમરજન્સીમાં સારવાર આપવામાં આવી હતી. ડો.પીએમ યાદવે મગજના તાવનું પણ ધ્યાન આપ્યું હતું અને બાળકને કાનપુર લઈ જવાની સલાહ આપી હતી. સમયસર જિલ્લા હોસ્પિટલ ન લાવીને તેમને કાનપુર મોકલી શકાયા નહીં. સારવારમાં કોઈ બેદરકારી નથી થઇ.

લખનઉ: ઉત્તર પ્રદેશની કન્નૌજ જિલ્લા હોસ્પિટલમાં દાખલ મગજના તાવથી પીડિત બાળકના મોત અંગે ખળભળાટ મચી ગયો, જ્યારે પરિવારે આરોપ લગાવ્યો કે બાળકનું મોત ડોકટરોની બેદરકારીના કારણે થયું છે. સાથે જ અધિકારીઓનું કહેવું છે કે બાળકની હાલત ગંભીર હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. કોઈ પણ પ્રકારની બેદરકારી નથી.

કન્નૌજ સદર કોતવાલી વિસ્તારના મિશ્રીપુર ગામમાં રહેતા પ્રેમચંદ્રના ચાર વર્ષના પુત્ર અનુજને ઘણા દિવસોથી તાવ હતો. તાવના કારણે હાલત વધુ વણસી ગઈ હતી, જેથી પરિવાર તેને લઇને જિલ્લા હોસ્પિટલમાં પહોંચ્યો હતો. લાંબા સમય સુધી પપરિવાર બાળક સાથે અહીં તહીં ભટકતો રહ્યો. આ પછી, તેને ઇમરજન્સીમાં લઈ જવામાં આવ્યો. બાળકની હાલતની તપાસ કર્યા બાદ ડો.વી.કે. શુક્લાએ બાળકને ડો.પી.એમ. યાદવ પાસે રીફર કરવામાં આવ્યો હતો.

લાંબા સમય સુધી પરિવારજનો બાળક સાથે આમતેમ ભટકતા રહ્યા, તે દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. આ અંગે પરિવારે જિલ્લા હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને હોસ્પિટલ વહીવટીતંત્રની બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો હતો.

પરિવારે અડધા કલાક સુધી હોસ્પિટલની બહાર હંગામો મચાવ્યો હતો. જ્યારે સીએમએસને આ વાતની ખબર પડી ત્યારે તેણે પરિવારને સમજ્યો અને તેમને કાર દ્વારા ઘરે મોકલવામાં આવ્યો.

સીએમએસ ડો.ઉમેશચંદ્ર ચતુર્વેદીએ જણાવ્યું કે બાળકને પહેલા ઇમરજન્સીમાં સારવાર આપવામાં આવી હતી. ડો.પીએમ યાદવે મગજના તાવનું પણ ધ્યાન આપ્યું હતું અને બાળકને કાનપુર લઈ જવાની સલાહ આપી હતી. સમયસર જિલ્લા હોસ્પિટલ ન લાવીને તેમને કાનપુર મોકલી શકાયા નહીં. સારવારમાં કોઈ બેદરકારી નથી થઇ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.