નડ્ડાએ ભાષણ સમયે કહ્યું કે, 'હું વિપક્ષને પુછવા માગુ છુ કે CAAમાં શું સમસ્યા છે? હું રાહુલ ગાંધીને CAA પર 10 લાઇન બોલવાનું કહું છું. કોંગ્રેસનું દુર્ભાગ્ય છે. કે તેને CAAની કોઈ પણ જાતની જાણકારી નથી.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં રહેનારા પાકિસ્તાની નાગરિકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને જે. પી. નડ્ડાનો આભાર વ્યક્ત કરવા ભાજપના કાર્યાલય ખાતે પહોંચ્યાં હતાં.
આ સમયે લઘુમતી શરણાર્થીઓને સંબોધન કરતા નડ્ડાએ કહ્યું કે વિપક્ષ લોકોને એમ કહી ગેરમાર્ગે છે કે, કાયદા બાદ કરોડો શરણાર્થી દેશમાં આવશે. જેને સ્થાયી કરવા મુશ્કેલ બની જશે. આ કાયદો એ લોકો માટે છે જે 31 ડિસેમ્બર 2010 સુધીમાં ભારત આવ્યા હોય.
વધુમાં નડ્ડાએ કહ્યું કે વિપક્ષ લોકોને એ કહીને ગુમરાહ કરી રહ્યો છે કે CAAના લાગુ કર્યા બાદ તે તેની નાગરિકતા ગુમાવશે.