શ્રીનગરઃ જમ્મુ-કશ્મીરના બડગામ જિલ્લાના બીરવાહ વિસ્તારમાં લશ્કર-એ-તૈયબાના 4 સહયોગીની ધરપકડ કરવામાં આવી છે. મળેલી માહિતી મુજબ પોલીસ અને સેનાના સયુક્ત અભિયાનથી આ 4 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે.
એક નિવેદનમાં પોલીસે કહ્યુ હતુ કે, બડગામ પોલીસ અને સેનાના 53 રાષ્ટ્રીય રાઇફલ્સે આતંકીઓના 4 સાથીઓની બીરવાહના પેઠકૂટ વિસ્તારમાંથી સર્ચ ઓપરેશન દ્વારા ધરપકડ કરી છે.