બિહાર સોશિયલ મીડિયા પર શું વાઈરલ થઈ જાય તે અંગે કંઈ કહી શકાય નહીં. કેટલીકવાર એવી રમૂજી વાતો આવે કે તેને જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી. બિહારના બાંકા જિલ્લામાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષકોની રજા અરજીઓ વિશે જાણીને બધા ચોંકી ગયા. હકીકતમાં બિહારના બાંકા જિલ્લાના કટોરિયાના શિક્ષકેએ રજા માટે અરજી આપી છે (Banka School Teacher Leave Application), જેમાં તેમણે લખ્યું છે કે 'માતાનું નિધન થવાનું છે બે દિવસ પછી રજા આપો. ' આવી જ અનેક રમૂજી અરજીઓ સોશિયલ મીડિયા પર વાયરલ( Banka School Teacher Leave Application goes viral ) થઈ રહી છે.
બાંકામાં શિક્ષકની વિચિત્ર અરજી બાંકા જિલ્લાના ધોરૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના કછરી પીપરા ગામના અજય કુમાર નામની અરજી વાયરલ થઈ રહી છે. જેમાં લખ્યું છે કે 'પ્રિન્સિપાલ સાહેબ, આદરપૂર્વક વિનંતી છે કે મારી માતા 5મી ડિસેમ્બરને સોમવારે રાત્રે 8 વાગ્યે અવસાન પામશે. તેથી હું તેમની અંતિમ વિધિ માટે 6ઠ્ઠી ડિસેમ્બર અને 7મી ડિસેમ્બર સુધી મારી શાળામાંથી ગેરહાજર રહીશ. તો સાહેબને વિનંતી છે કે મારી રજા મંજૂર કરો.
ચાર દિવસ બાદ બીમાર રહીશ બે દિવસની રજા જોઇએ બારાહાટની ખડિયારા ઉર્દૂ વિદ્યાલયના શિક્ષક રાજ ગૌરવ દ્વારા લખાયેલો વધુ એક રજા અરજી (Leave Application ) વાયરલ થઈ રહી છે. જેમાં લખ્યું છે કે 'હું 4 અને 5 ડિસેમ્બરે બીમાર રહીશ. જેના કારણે હું શાળાએ આવી શકીશ નહીં. એટલા માટે કેઝ્યુઅલ લીવ મંજૂર કરવામાં આવે. જણાવીએ કે આ અરજી 1લી ડિસેમ્બર એટલે કે ગુરુવારે લખવામાં આવી છે.
લગ્નમાં જવું છે પેટ ખરાબ થવાની આશંકા છે રજા જોઇએ કટોરિયાની મિડલ સ્કૂલ જામદહાના શિક્ષક નીરજ કુમારે રજા અંગે શાળાના આચાર્યને અરજી (Leave Application ) કરી હતી. જેમાં તેણે લખ્યું કે 'હું 7 ડિસેમ્બરે લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યો છું. આપને ખબર છે કે હું લગ્નપ્રસંગમાં ખાવાની ખૂબ મજા લઈશ અને પછી પેટમાં ગડબડ થવાનું નક્કી છે. તેથી જ કૃપા કરીને ત્રણ દિવસ અગાઉ અરજી સ્વીકારો.' અહીં આપને જણાવીએ કે આ અરજી આચાર્ય દ્વારા નકારી કાઢવામાં આવી છે.
શા કારણે લખાઇ રહી છે આવી અરજીઓ કહેવાઇ રહ્યું છે કે ભાગલપુરના કમિશનર દયાનિધાન પાંડેના આદેશ બાદ આવી અરજીઓ (Leave Application ) આવી રહી છે. જેમાં કમિશનરે કેઝ્યુઅલ લીવ પહેલા મંજૂરી લેવી ફરજિયાત હોવાનું જણાવ્યું હતું. આ આદેશ ત્રણ દિવસ પહેલા એટલે કે 29 નવેમ્બરે જારી કરવામાં આવ્યો હતો. જે બાદ ભાગલપુર ડીઇઓ અને બાંકા ડીઇઓએ આ અંગે આદેશ પત્ર જારી કર્યો હતો. જે બાદ વહીવટી આદેશ અને શિક્ષકોની અરજી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આદેશમાં શું લખ્યું હતું જોકે આ પૂરા આદેશની પાછળની વાત કંઇ બીજી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં ભાગલપુર કમિશનર દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે જ્યારે શાળાઓની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે શાળામાં એક જ સમયે એકથી વધુ શિક્ષકોને રજા આપવામાં આવી હતી જેનાથી શિક્ષણ કાર્ય પર અસર પડી હતી. આવી સ્થિતિમાં શિક્ષકોને એકસાથે રજા ન આપવી જોઈએ. આ સાથે આદેશમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે મુખ્ય શિક્ષકે બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરની મંજૂરી બાદ જ રજા મંજૂર (Leave Application ) કરવી.