ETV Bharat / bharat

Bangladesh Election 2024 : શેખ હસીનાએ મતદાનના દિવસે ભારતના કર્યા વખાણ, મુક્તિ સંગ્રામને પણ કર્યો યાદ - બાંગ્લાદેશના પીએમ

બાંગ્લાદેશના પીએમ હસીનાએ 1975માં ભારતની સાથે તેમના પરિવારના નરસંહારની ભયાનકતાને પણ યાદ કરી. એ ઐતિહાસિક ઘટનામાં તેમનો આખો પરિવાર માર્યો ગયો હતો. તે વર્ષો સુધી ભારતમાં શરણાર્થી તરીકે રહેતી હતી.

Etv Bharat
Etv Bharat
author img

By ANI

Published : Jan 7, 2024, 10:58 AM IST

ઢાકા : બાંગ્લાદેશમાં આજે મતદાન થઈ રહ્યું છે. મતદાનની શરૂઆત પહેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ભારતને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ ભાગ્યશાળી છે કે ભારત જેવો વિશ્વાસપાત્ર મિત્ર છે. તેમણે 1971માં મુક્તિ યુદ્ધ દરમિયાન ભારતના સમર્થનને પણ પ્રકાશિત કર્યું હતું.

ભારતના વખાણ કર્યા : બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ ભારતને પોતાના સંદેશમાં કહ્યું કે અમે ખૂબ ભાગ્યશાળી છીએ. ભારત અમારો વિશ્વાસુ મિત્ર છે. અમારા મુક્તિ સંગ્રામ દરમિયાન તેમણે અમને સાથ આપ્યો હતો. 1975 પછી, જ્યારે અમે અમારું આખું કુટુંબ ગુમાવ્યું... તેઓએ અમને આશ્રય આપ્યો. તેથી ભારતના લોકોને અમારી શુભેચ્છાઓ. પીએમ હસીનાએ 1975માં તેમના પરિવારના નરસંહારની ભયાનકતાને પણ યાદ કરી. એ ઐતિહાસિક ઘટનામાં તેમનો આખો પરિવાર માર્યો ગયો હતો. તે વર્ષો સુધી ભારતમાં શરણાર્થી તરીકે રહેતી હતી. બાદમાં તે બાંગ્લાદેશ પરત ફર્યા અને અવામી લીગની કમાન સંભાળી.

Bangladesh Election 2024
Bangladesh Election 2024

બાંગ્લાદેશમાં મતદાન યોજાયું : ચાલી રહેલી સામાન્ય ચૂંટણીઓમાં પોતાનો મત આપ્યા બાદ હસીનાએ રવિવારે દેશના વિકાસ માટે લોકશાહીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે તેમની સરકારે છેલ્લા વર્ષોમાં લોકોના લોકતાંત્રિક અધિકારોની સ્થાપના કરી છે. આપણો દેશ સાર્વભૌમ અને સ્વતંત્ર છે...આપણી વસ્તી ઘણી મોટી છે. અમે લોકોના લોકતાંત્રિક અધિકારો સ્થાપિત કર્યા છે... હું એ સુનિશ્ચિત કરવા માંગુ છું કે આ દેશમાં લોકશાહી ચાલુ રહે અને લોકશાહી વિના તમારો વિકાસ થઈ શકે નહીં. આપણે 2009 થી 2023 સુધી લાંબા ગાળાની લોકશાહી પ્રણાલી છીએ, તેથી જ બાંગ્લાદેશે ઘણું બધું હાંસલ કર્યું છે.

મતદાન કરવા અપિલ કરવામાં આવી : પીએમ હસીનાએ એ પણ રેખાંકિત કર્યું કે તેમની સરકારે એવું વાતાવરણ બનાવ્યું છે જ્યાં લોકો બહાર આવીને મતદાન કરી શકે. તેમણે કહ્યું કે હું બાંગ્લાદેશના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. ઘણા અવરોધો હતા પરંતુ આપણા દેશના લોકો તેમના મતદાનના અધિકાર અને મતદાનની જરૂરિયાત વિશે ખૂબ જ જાગૃત છે. અમે એવું વાતાવરણ ઊભું કરવામાં સક્ષમ હતા જ્યાં લોકો બહાર આવીને મતદાન કરી શકે.

વિપક્ષ પર પ્રહારો કરવમાં આવ્યા : તેમણે બાંગ્લાદેશની વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) પર દેશમાં હિંસા ભડકાવવાનો પણ આરોપ લગાવ્યો અને કહ્યું કે તેઓ લોકોના વિકાસની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે BNP અને જમાતે ઘણી આગચંપી અને અન્ય ઘણી હિંસક ગતિવિધિઓ જેમ કે ટ્રેનો, વાહનો સળગાવવા, લોકોની અવરજવર રોકવા જેવી અનેક હિંસક ગતિવિધિઓ હાથ ધરી હતી. હું કહીશ કે તેઓ લોકશાહીમાં માનતા નથી, તેઓ દેશભક્ત નથી અને તેઓ તેની વિરુદ્ધ છે.

  1. CM kejariwal: આજે ગુજરાત આવશે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ, બજેટ સંદર્ભે મહત્વની બેઠકમાં લેશે ભાગ
  2. લખનૌમાં લૉરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય વિકાસ સિંહ પર NIAનો શિકંજો, ફ્લેટ અટેચ કર્યો

ઢાકા : બાંગ્લાદેશમાં આજે મતદાન થઈ રહ્યું છે. મતદાનની શરૂઆત પહેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ભારતને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ ભાગ્યશાળી છે કે ભારત જેવો વિશ્વાસપાત્ર મિત્ર છે. તેમણે 1971માં મુક્તિ યુદ્ધ દરમિયાન ભારતના સમર્થનને પણ પ્રકાશિત કર્યું હતું.

ભારતના વખાણ કર્યા : બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ ભારતને પોતાના સંદેશમાં કહ્યું કે અમે ખૂબ ભાગ્યશાળી છીએ. ભારત અમારો વિશ્વાસુ મિત્ર છે. અમારા મુક્તિ સંગ્રામ દરમિયાન તેમણે અમને સાથ આપ્યો હતો. 1975 પછી, જ્યારે અમે અમારું આખું કુટુંબ ગુમાવ્યું... તેઓએ અમને આશ્રય આપ્યો. તેથી ભારતના લોકોને અમારી શુભેચ્છાઓ. પીએમ હસીનાએ 1975માં તેમના પરિવારના નરસંહારની ભયાનકતાને પણ યાદ કરી. એ ઐતિહાસિક ઘટનામાં તેમનો આખો પરિવાર માર્યો ગયો હતો. તે વર્ષો સુધી ભારતમાં શરણાર્થી તરીકે રહેતી હતી. બાદમાં તે બાંગ્લાદેશ પરત ફર્યા અને અવામી લીગની કમાન સંભાળી.

Bangladesh Election 2024
Bangladesh Election 2024

બાંગ્લાદેશમાં મતદાન યોજાયું : ચાલી રહેલી સામાન્ય ચૂંટણીઓમાં પોતાનો મત આપ્યા બાદ હસીનાએ રવિવારે દેશના વિકાસ માટે લોકશાહીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે તેમની સરકારે છેલ્લા વર્ષોમાં લોકોના લોકતાંત્રિક અધિકારોની સ્થાપના કરી છે. આપણો દેશ સાર્વભૌમ અને સ્વતંત્ર છે...આપણી વસ્તી ઘણી મોટી છે. અમે લોકોના લોકતાંત્રિક અધિકારો સ્થાપિત કર્યા છે... હું એ સુનિશ્ચિત કરવા માંગુ છું કે આ દેશમાં લોકશાહી ચાલુ રહે અને લોકશાહી વિના તમારો વિકાસ થઈ શકે નહીં. આપણે 2009 થી 2023 સુધી લાંબા ગાળાની લોકશાહી પ્રણાલી છીએ, તેથી જ બાંગ્લાદેશે ઘણું બધું હાંસલ કર્યું છે.

મતદાન કરવા અપિલ કરવામાં આવી : પીએમ હસીનાએ એ પણ રેખાંકિત કર્યું કે તેમની સરકારે એવું વાતાવરણ બનાવ્યું છે જ્યાં લોકો બહાર આવીને મતદાન કરી શકે. તેમણે કહ્યું કે હું બાંગ્લાદેશના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. ઘણા અવરોધો હતા પરંતુ આપણા દેશના લોકો તેમના મતદાનના અધિકાર અને મતદાનની જરૂરિયાત વિશે ખૂબ જ જાગૃત છે. અમે એવું વાતાવરણ ઊભું કરવામાં સક્ષમ હતા જ્યાં લોકો બહાર આવીને મતદાન કરી શકે.

વિપક્ષ પર પ્રહારો કરવમાં આવ્યા : તેમણે બાંગ્લાદેશની વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) પર દેશમાં હિંસા ભડકાવવાનો પણ આરોપ લગાવ્યો અને કહ્યું કે તેઓ લોકોના વિકાસની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે BNP અને જમાતે ઘણી આગચંપી અને અન્ય ઘણી હિંસક ગતિવિધિઓ જેમ કે ટ્રેનો, વાહનો સળગાવવા, લોકોની અવરજવર રોકવા જેવી અનેક હિંસક ગતિવિધિઓ હાથ ધરી હતી. હું કહીશ કે તેઓ લોકશાહીમાં માનતા નથી, તેઓ દેશભક્ત નથી અને તેઓ તેની વિરુદ્ધ છે.

  1. CM kejariwal: આજે ગુજરાત આવશે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ, બજેટ સંદર્ભે મહત્વની બેઠકમાં લેશે ભાગ
  2. લખનૌમાં લૉરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય વિકાસ સિંહ પર NIAનો શિકંજો, ફ્લેટ અટેચ કર્યો
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.