ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર, બે દિવસમાં ત્રણ મોત - Chandipura virus

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 23, 2024, 8:03 AM IST

બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી ફફડાટ ફેલાયો છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે ત્રણ મોત થતા તંત્ર એલર્ટ બન્યું છે. ગઈકાલે ડીસા અને પાલનપુરના બાળકનું મોત બાદ આજે સુઈગામ તાલુકાના ભરડવા ગામના બાળકનું હોસ્પિટલમાં મોત નીપજ્યું છે.

બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસનો કહેર
બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસનો કહેર (ETV Bharat Reporter)

બનાસકાંઠા : ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી મોતનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે. ડીસામાં ગઈકાલે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી બાળકનું મોત થયું હતું. તે બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ચાંદીપુરા વાયરસથી થતા મોતના આંકડામાં સતત વધારો થતા તંત્ર એલર્ટ બન્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર (ETV Bharat Reporter)

ચાંદીપુરાથી વધુ એક મોત : બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. ડીસા અને પાલનપુર બાદ સુઇગામના ગામના ભરડવા ગામની બાળકીનું મોત નીપજ્યું છે. ગઈકાલે ડીસા અને પાલનપુરમાં ચાંદીપુરા વાયરસના કારણે એક-એક બાળકનું મોત થયું હતું. બીજી તરફ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દી તરીકે સારવાર મેળવી રહેલા સુઈગામ તાલુકાના ભરડવા ગામની બાળકીનું હોસ્પિટલમાં મોત નીપજ્યું છે.

આરોગ્ય વિભાગ દોડતું થયું : ચાંદીપુરા વાયરસના કારણે બાળકીનું મોત થતાની સાથે જ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે. પાલનપુર નગરપાલિકા પ્રમુખ સહિત આરોગ્ય અને નગરપાલિકાની ટીમ મૃતક બાળકીના ઘરે પહોંચ્યા હતા. સમગ્ર વિસ્તાર દવાનો છંટકાવ કરે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મૃતક બાળકીના ઘરે ધારાસભ્ય સહિત આરોગ્ય અને નગરપાલિકાની ટીમ પહોંચી હતી

જિલ્લામાં ત્રણ મોત : બનાસકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના ચાર કેસ સામે આવ્યા હતા. તેમના સેમ્પલ લેબોટરી માટે મોકલ્યા હતા. પાલનપુરના RTO ફાટક વિસ્તારમાં રહેતી આઠ વર્ષની બાળકીનું અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને ડીસાના લુણપુરના મૂળ કાંકરેજના ડુંગરાસણના બાળકનું પાટણની ધારપુર હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જેને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.

  1. પાલનપુરમાં ચાંદીપુરા વાયરસથી 1 બાળકનું થયું મોત,આરોગ્ય વિભાગ એક્શનમાં
  2. બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસનો પગ પેસારો : 2 દર્દીના મોત, બે સારવાર હેઠળ

બનાસકાંઠા : ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી મોતનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે. ડીસામાં ગઈકાલે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી બાળકનું મોત થયું હતું. તે બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ચાંદીપુરા વાયરસથી થતા મોતના આંકડામાં સતત વધારો થતા તંત્ર એલર્ટ બન્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર (ETV Bharat Reporter)

ચાંદીપુરાથી વધુ એક મોત : બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. ડીસા અને પાલનપુર બાદ સુઇગામના ગામના ભરડવા ગામની બાળકીનું મોત નીપજ્યું છે. ગઈકાલે ડીસા અને પાલનપુરમાં ચાંદીપુરા વાયરસના કારણે એક-એક બાળકનું મોત થયું હતું. બીજી તરફ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દી તરીકે સારવાર મેળવી રહેલા સુઈગામ તાલુકાના ભરડવા ગામની બાળકીનું હોસ્પિટલમાં મોત નીપજ્યું છે.

આરોગ્ય વિભાગ દોડતું થયું : ચાંદીપુરા વાયરસના કારણે બાળકીનું મોત થતાની સાથે જ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે. પાલનપુર નગરપાલિકા પ્રમુખ સહિત આરોગ્ય અને નગરપાલિકાની ટીમ મૃતક બાળકીના ઘરે પહોંચ્યા હતા. સમગ્ર વિસ્તાર દવાનો છંટકાવ કરે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મૃતક બાળકીના ઘરે ધારાસભ્ય સહિત આરોગ્ય અને નગરપાલિકાની ટીમ પહોંચી હતી

જિલ્લામાં ત્રણ મોત : બનાસકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના ચાર કેસ સામે આવ્યા હતા. તેમના સેમ્પલ લેબોટરી માટે મોકલ્યા હતા. પાલનપુરના RTO ફાટક વિસ્તારમાં રહેતી આઠ વર્ષની બાળકીનું અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને ડીસાના લુણપુરના મૂળ કાંકરેજના ડુંગરાસણના બાળકનું પાટણની ધારપુર હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જેને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.

  1. પાલનપુરમાં ચાંદીપુરા વાયરસથી 1 બાળકનું થયું મોત,આરોગ્ય વિભાગ એક્શનમાં
  2. બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસનો પગ પેસારો : 2 દર્દીના મોત, બે સારવાર હેઠળ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.