ETV Bharat / state

રાજકોટમાં ચાંદીપુર વાઇરસને લીધે વધુ એક બાળકનું મોત, એક બાળક સારવારમાં - Chandipura virus in Rajkot

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 22, 2024, 5:17 PM IST

ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસનાં દર્દીઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં રાજકોટમાં 6 દર્દીઓનાં શંકાસ્પદ મોત થયા હતા. જેના રિપોર્ટ પણ હજુ આવ્યા નથી. જેમાં વધુ એક ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. જાણો સંપૂર્ણ બાબત. Chandipura virus in Rajkot

રાજકોટમાં ચાંદીપુર વાઇરસને લીધે વધુ એક બાળકનું મોત
રાજકોટમાં ચાંદીપુર વાઇરસને લીધે વધુ એક બાળકનું મોત (Etv Bharat Gujarat)

રાજકોટ: જિલ્લામાં ચાંદીપુરા વાયરસનાં કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એક નવો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે, જેમાં સાત વર્ષનો બાળક સંક્રમિત હોવાની આશંકાએ તેના સેમ્પલ પણ પુના લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જોકે આ બાળકની તબિયત હાલ સંપૂર્ણપણે સ્થિર હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે.

બાળકની તબિયત સંપૂર્ણ સ્થિર: મળતી વિગત મુજબ જાણવા મળે છે કે, તાવ સહિતની જુદી જુદી તકલીફોથી પીડિત પડધરી તાલુકાના 7 વર્ષના એક બાળકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા તેને તાત્કાલિક સ્પેશિયલ વોર્ડમાં ખસેડી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. તેમજ તેના સેમ્પલ પુના ખાતેની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જોકે હાલ આ બાળકની તબિયત સંપૂર્ણ સ્થિર હોવાનું સામે આવ્યું છે. છતાં ડૉક્ટર્સ દ્વારા આ બાળકને ઓબઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે.

7 વર્ષના બાળકનું મોત: આ દરમિયાન ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 7 વર્ષના બાળકની તબિયત લથડતાં ગઈકાલે તેને રાજકોટની જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, પરંતુ તેનો રિપોર્ટ આવે એ પહેલાં જ આજે સારવાર દરમિયાન આ બાળકનું મોત નીપજ્યું છે.

6 દર્દીઓનાં મોત: સિવિલ હોસ્પિટલમાં મોરબી, પડધરી અને ગોડલ સહિતના વિસ્તારોમાંથી 7 જેટલા શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા. આ તમામ દર્દીઓનાં સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા હતા. જોકે રિપોર્ટ આવે તે પહેલાં જ આ 6 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જેને લઈને સિવિલ હોસ્પિટલનું તંત્ર સતર્ક બન્યું હતું. ચાંદીપુરા વાયરસ માટે ખાસ વોર્ડ ઉભો કરવા સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.

  1. ખેડામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ, એક્શન મોડમાં આરોગ્ય વિભાગ
  2. બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસનો પગ પેસારો : 2 દર્દીના મોત, બે સારવાર હેઠળ - Chandipura virus

રાજકોટ: જિલ્લામાં ચાંદીપુરા વાયરસનાં કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એક નવો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે, જેમાં સાત વર્ષનો બાળક સંક્રમિત હોવાની આશંકાએ તેના સેમ્પલ પણ પુના લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જોકે આ બાળકની તબિયત હાલ સંપૂર્ણપણે સ્થિર હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે.

બાળકની તબિયત સંપૂર્ણ સ્થિર: મળતી વિગત મુજબ જાણવા મળે છે કે, તાવ સહિતની જુદી જુદી તકલીફોથી પીડિત પડધરી તાલુકાના 7 વર્ષના એક બાળકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા તેને તાત્કાલિક સ્પેશિયલ વોર્ડમાં ખસેડી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. તેમજ તેના સેમ્પલ પુના ખાતેની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જોકે હાલ આ બાળકની તબિયત સંપૂર્ણ સ્થિર હોવાનું સામે આવ્યું છે. છતાં ડૉક્ટર્સ દ્વારા આ બાળકને ઓબઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે.

7 વર્ષના બાળકનું મોત: આ દરમિયાન ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 7 વર્ષના બાળકની તબિયત લથડતાં ગઈકાલે તેને રાજકોટની જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, પરંતુ તેનો રિપોર્ટ આવે એ પહેલાં જ આજે સારવાર દરમિયાન આ બાળકનું મોત નીપજ્યું છે.

6 દર્દીઓનાં મોત: સિવિલ હોસ્પિટલમાં મોરબી, પડધરી અને ગોડલ સહિતના વિસ્તારોમાંથી 7 જેટલા શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા. આ તમામ દર્દીઓનાં સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા હતા. જોકે રિપોર્ટ આવે તે પહેલાં જ આ 6 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જેને લઈને સિવિલ હોસ્પિટલનું તંત્ર સતર્ક બન્યું હતું. ચાંદીપુરા વાયરસ માટે ખાસ વોર્ડ ઉભો કરવા સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.

  1. ખેડામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ, એક્શન મોડમાં આરોગ્ય વિભાગ
  2. બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસનો પગ પેસારો : 2 દર્દીના મોત, બે સારવાર હેઠળ - Chandipura virus
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.