ETV Bharat / state

નાળિયેરી પૂનમના દિવસે પવિત્ર દામોદર કુંડ ખાતે ભૂદેવોએ ધારણ કરી નવી યજ્ઞોપવિત - Yagyopavit in junagadh

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 19, 2024, 11:11 AM IST

આજે નાળિયેરી પૂનમ આજના દિવસે યજુર્વેદી અને અથર્વવેદી બ્રાહ્મણો રક્ષા સૂત્ર સમાન જનોઈ બદલી રહ્યા છે, પ્રત્યેક વ્યક્તિએ તેમના વર્ણ અનુસાર જનોઈ ધારણ કરવી જોઈએ. ત્યારે આજના દિવસે દેવતાઓના આહવાન સમાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો સ્વયં જેમાં વાસ છે તેવી જનોઈ બદલવાની ધાર્મિક વિધિ જુનાગઢના ભુદેવોએ વિધિ વિધાન સાથે પૂર્ણ કરે છે. Yagyopavit at Damodar Kund in Junagadh

દામોદર કુંડ ખાતે ભૂદેવોએ ધારણ કરી નવી યજ્ઞોપવિત
દામોદર કુંડ ખાતે ભૂદેવોએ ધારણ કરી નવી યજ્ઞોપવિત (Etv Bharat Gujarat)
યજ્ઞોપવિત પાછળનું મહાત્મય વર્ણવતા પંડિત ચેતન શાસ્ત્રી (Etv Bharat Gujarat)

જુનાગઢ: સનાતન ધર્મ સંસ્કૃતિમાં શ્રાવણી પૂનમ એટલે કે રક્ષાબંધનના પાવન પર્વે બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવામાં આવતી હોય છે, સનાતન ધર્મની પરંપરા અનુસાર શાસ્ત્રોમાં સૂચવેલી વિધિ અનુસાર જે લોકોએ જનોઈ ધારણ કરી છે, તેને બદલવાનો આ સૌથી સારો દિવસ હોવાને કારણે પણ આજના દિવસે યજુર્વેદી અને અથર્વવેદી બ્રાહ્મણોની સાથે ચારેય વર્ણના વ્યક્તિઓ કે જેમણે જનોઈ ધારણ કરી છે તે તેમની ધાર્મિક પરંપરા અનુસાર જનોઈ બદલી શકે છે.

જુનાગઢના ભુદેવોએ વિધિ વિધાન સાથે પૂર્ણ યજ્ઞો પવિતની વિધિ
જુનાગઢના ભુદેવોએ વિધિ વિધાન સાથે પૂર્ણ યજ્ઞો પવિતની વિધિ (Etv bharat Gujarat)

જનોઈમાં બ્રહ્મા,વિષ્ણુ અને મહેશનો વાસ

સનાતન ધર્મ સંસ્કૃતિમાં જનોઈમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોવાની માન્યતા પણ જોવા મળે છે જનોઈ બદલવાની વિધિ ને શ્રાવણી પ્રયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે જનોઈ દેવોને જાગૃત કરવા માટે સતયુગ થી આ પરંપરા ચાલતી આવે છે સુતરના નવ તંતુથી નિર્માણ પામેલી જનોઈ દ્વારા સોળ દેવતાઓનુ આહવાન સમાન માનવામાં આવે છે જેમાં સ્વયંમ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નો વાસ હોવાનું પણ મનાય છે જનોઈ મા ઓમકાર સ્વરૂપે ગાંઠ જોવા મળે છે સનાતન ધર્મની પ્રાચીન લોક પરંપરા અને ધાર્મિક માન્યતા અનુસાર દેવતાઓને ધારણ કરવા માટે ધર્મને ધારણ કરેલા પ્રત્યેક લોકોએ જનોઈ ધારણ કરવી જોઈએ તેવું સનાતન ધર્મના ગ્રંથોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે

દામોદર કુંડ ખાતે ભૂદેવોએ ધારણ કરી નવી યજ્ઞો પવિત
દામોદર કુંડ ખાતે ભૂદેવોએ ધારણ કરી નવી યજ્ઞો પવિત (Etv bharat Gujarat)

સફેદ કેસરી અને લાલ જનોઈ

સનાતન ધર્મ સંસ્કૃતિમાં ઉલ્લેખ થયા મુજબ વર્ણ અનુસાર સફેદ કેસરી અને લાલ જનોઇ ધારણ કરવામાં આવે છે જ્યારે સુતર પ્રાપ્ત ન હતું આવા સમયે વનસ્પતિ જન્ય ઘાસ એટલે કે દાભ થી જનોઈ બનાવીને બ્રાહ્મણો તેને ધારણ કરવાની એક પરંપરા જોવા મળતી હતી ચાર યુગોમાં જનોઈ ધારણ કરવી અને જનોઈ પ્રત્યેક વ્યક્તિ માટે આવશ્યક છે તેવું આજે પણ માનવામાં આવે છે ત્યારે આજે જુનાગઢમાં બળેવ એટલે કે શ્રાવણી પૂર્ણિમાના દિવસે ધાર્મિક વિધિ વિધાન અને પૂજન સાથે ઈશ્વરને ધારણ કરવા સમાન જનોઈને બદલીને સનાતન ધર્મની આ પરંપરા ને આજે વધુ આગળ વધારી છે.

  1. સરહદો વચ્ચે સંકળાયેલું સ્નેહનું બંધન, બનાસકાંઠની બહેનો પાકિસ્તાનમાં વસતા ભાઈઓને આ રીતે બાંધે છે રાખડી - Raksha bandhan 2024
  2. રાજા ઇન્દ્ર દ્વારા સ્થાપિત અને જૂનાગઢના નવાબે બનાવેલું ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, જાણો ઈતિહાસ અને મહાત્મય - Shravan Maas 2024

યજ્ઞોપવિત પાછળનું મહાત્મય વર્ણવતા પંડિત ચેતન શાસ્ત્રી (Etv Bharat Gujarat)

જુનાગઢ: સનાતન ધર્મ સંસ્કૃતિમાં શ્રાવણી પૂનમ એટલે કે રક્ષાબંધનના પાવન પર્વે બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવામાં આવતી હોય છે, સનાતન ધર્મની પરંપરા અનુસાર શાસ્ત્રોમાં સૂચવેલી વિધિ અનુસાર જે લોકોએ જનોઈ ધારણ કરી છે, તેને બદલવાનો આ સૌથી સારો દિવસ હોવાને કારણે પણ આજના દિવસે યજુર્વેદી અને અથર્વવેદી બ્રાહ્મણોની સાથે ચારેય વર્ણના વ્યક્તિઓ કે જેમણે જનોઈ ધારણ કરી છે તે તેમની ધાર્મિક પરંપરા અનુસાર જનોઈ બદલી શકે છે.

જુનાગઢના ભુદેવોએ વિધિ વિધાન સાથે પૂર્ણ યજ્ઞો પવિતની વિધિ
જુનાગઢના ભુદેવોએ વિધિ વિધાન સાથે પૂર્ણ યજ્ઞો પવિતની વિધિ (Etv bharat Gujarat)

જનોઈમાં બ્રહ્મા,વિષ્ણુ અને મહેશનો વાસ

સનાતન ધર્મ સંસ્કૃતિમાં જનોઈમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોવાની માન્યતા પણ જોવા મળે છે જનોઈ બદલવાની વિધિ ને શ્રાવણી પ્રયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે જનોઈ દેવોને જાગૃત કરવા માટે સતયુગ થી આ પરંપરા ચાલતી આવે છે સુતરના નવ તંતુથી નિર્માણ પામેલી જનોઈ દ્વારા સોળ દેવતાઓનુ આહવાન સમાન માનવામાં આવે છે જેમાં સ્વયંમ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નો વાસ હોવાનું પણ મનાય છે જનોઈ મા ઓમકાર સ્વરૂપે ગાંઠ જોવા મળે છે સનાતન ધર્મની પ્રાચીન લોક પરંપરા અને ધાર્મિક માન્યતા અનુસાર દેવતાઓને ધારણ કરવા માટે ધર્મને ધારણ કરેલા પ્રત્યેક લોકોએ જનોઈ ધારણ કરવી જોઈએ તેવું સનાતન ધર્મના ગ્રંથોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે

દામોદર કુંડ ખાતે ભૂદેવોએ ધારણ કરી નવી યજ્ઞો પવિત
દામોદર કુંડ ખાતે ભૂદેવોએ ધારણ કરી નવી યજ્ઞો પવિત (Etv bharat Gujarat)

સફેદ કેસરી અને લાલ જનોઈ

સનાતન ધર્મ સંસ્કૃતિમાં ઉલ્લેખ થયા મુજબ વર્ણ અનુસાર સફેદ કેસરી અને લાલ જનોઇ ધારણ કરવામાં આવે છે જ્યારે સુતર પ્રાપ્ત ન હતું આવા સમયે વનસ્પતિ જન્ય ઘાસ એટલે કે દાભ થી જનોઈ બનાવીને બ્રાહ્મણો તેને ધારણ કરવાની એક પરંપરા જોવા મળતી હતી ચાર યુગોમાં જનોઈ ધારણ કરવી અને જનોઈ પ્રત્યેક વ્યક્તિ માટે આવશ્યક છે તેવું આજે પણ માનવામાં આવે છે ત્યારે આજે જુનાગઢમાં બળેવ એટલે કે શ્રાવણી પૂર્ણિમાના દિવસે ધાર્મિક વિધિ વિધાન અને પૂજન સાથે ઈશ્વરને ધારણ કરવા સમાન જનોઈને બદલીને સનાતન ધર્મની આ પરંપરા ને આજે વધુ આગળ વધારી છે.

  1. સરહદો વચ્ચે સંકળાયેલું સ્નેહનું બંધન, બનાસકાંઠની બહેનો પાકિસ્તાનમાં વસતા ભાઈઓને આ રીતે બાંધે છે રાખડી - Raksha bandhan 2024
  2. રાજા ઇન્દ્ર દ્વારા સ્થાપિત અને જૂનાગઢના નવાબે બનાવેલું ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, જાણો ઈતિહાસ અને મહાત્મય - Shravan Maas 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.