અમરેલી : અવારનવાર અમરેલી જિલ્લાના 11 તાલુકામાં વસવાટ કરતા સિંહ પરિવાર ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારની અંદર શિકારની શોધમાં આવી ચડતા હોય છે. હાલમાં જ રાત્રિના સમયે અમરેલી જિલ્લાના રાજુલાના પીપાવાવ પોટ વિસ્તારની અંદર ચાર જેટલા સિંહ શિકારની શોધમાં પહોંચ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આખલાનો શિકાર કરતા સિંહ : અમરેલી જિલ્લાના રાજુલા પીપાવાવ પોર્ટ દરિયાકાંઠે આવેલો છે. અહીં રાત્રીના સમયે ચાર જેટલા સિંહ શિકાર કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન એક આખલાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આખલો સિંહ સામે ઝઝૂમ્યા અને આખરે પોતાનો જીવ બચાવવા આખલો પોર્ટ વિસ્તારની અંદર નાસી છૂટ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો : રાજુલાના પીપાવાવ પોર્ટ વિસ્તારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અહીં શિકાર કરવા પહોંચેલા ચાર સિંહોએ એક આખલાએ ઘેર્યો હતો. આખલા પાછળ સિંહ દોડ લગાવે એ પહેલા જ આખલાએ દોડ લગાવી અને જીવ બચાવી ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર બનાવનો વીડિઓ સ્થાનિક વ્યક્તિએ કેમેરામાં કેદ કર્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જનતા જોગ અપીલ : ધારી વન વિભાગે DCF રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, અમરેલી તેમજ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં બૃહદ ગીર વિસ્તાર અને જંગલ વિસ્તાર છે. આ વિસ્તારમાંથી પસાર થતા સમયે કોઈ વ્યક્તિએ કોઈપણ પ્રકારનો પ્લાસ્ટિકનો ઘન કચરો જંગલમાં ન નાખવા અપીલ કરવામાં આવી રહી છે. સાથે જ કોઈપણ પ્રકારના પશુ પક્ષીને પણ ખોરાક કે અન્ય વસ્તુ ન નાખવી.