ETV Bharat / state

રાજકોટમાં સોની પરિવારના 9 સભ્યોએ કરોડનું પેમન્ટ અટવાઈ જતા કર્યો સામૂહિક આપઘાતનો પ્રયાસ - Rajkot family suicide attempt case

author img

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

આપઘાત ક્યારેય કોઈ સમસ્યાનું સમાધાન ના હોઈ શકે, આવા વિચાર આવતા જ કે આવા કોઈ વ્યક્તિની જાણ થતા જ તુરંત પોલીસને ધ્યાને દોરવાથી ઘણી મદદ મળી શકે છે. જોકે આવું ન સમજતા રાજકોટના સોની પરિવારના 9 સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે અને હાલ સ્થિતિને લઈને ભારે ચિંતાનો માહોલ છે. - Rajkot Soni family suicide attempt case

રાજકોટમાં સામૂહીક આપઘાતનો પ્રયાસ
રાજકોટમાં સામૂહીક આપઘાતનો પ્રયાસ (Etv Bharat Gujarat)

રાજકોટઃ રાજકોટમાં સોની પરિવારનો સામૂહિક આપઘાતના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક સોની પરિવારના 9 સભ્યે ઝેરી દવા પી લેતાં તમામને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. તમામની સ્થિતિ હાલ સ્થિર છે. મુંબઈના વેપારીને આપેલા સોનાના માલના કરોડો રૂપિયા ન આપતા સોની પરિવારે આવું પગલું ભર્યાનું એક સ્વજને જણાવ્યું છે. તેમજ બેંક લોન ભરપાઈ ન કરી શકતા સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સોની પરિવારના 9 સભ્યે ઝેરી દવા પીધી હતી, જેથી તમામને હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટમાં સામૂહીક આપઘાતનો પ્રયાસ (Etv Bharat Gujarat)

શું છે ઘટનાની સમગ્ર વિગતો? બનાવની પોલીસ પાસેથી મળતી પ્રાથમિક વિગત મુજબ રાજકોટના ગુંદાવાડીમાં આવેલા ગોવિંદપરામાં રહેતાં અને સોની બજારમાં પેઢી ધરાવતાં વેપારીએ પરિવારના બીજા 8 સભ્યો સાથે મળી ઝેરી દવા પી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તમામ સભ્યોએ શરબતમાં ઉધઈ મારવાની દવા નાખી પી લીધી હતી. જો કે બધા સભાન હતા પણ ચક્કર આવતા સારવાર માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અહીં તબીબે તપાસ કરતા લગભગ તમામ સભ્યોની હાલત ભયમુક્ત જણાઇ હતી. વેપારીએ જણાવ્યું હતું કે, મુંબઇના ચાર વેપારી કે, જેઓ એકબીજાના ભાગીદાર છે. તેમણે મારી પાસેથી વિશ્વાસ કેળવી સોનાના દાગીનાની ખરીદી શરૂ કરી હતી અને શરૂઆતમાં સમયસર પેમેન્ટ ચૂકવી દીધું હતું. પરંતુ બાદમાં પોણા ત્રણ કરોડનું સોનું ખરીદી કર્યા પછી હવે લાંબા સમયથી હું ઉઘરાણી કરતો હોવા છતાં તેઓ મારી રકમ પરત આપતાં ન હોય ઘરમાં અને વેપારમાં આર્થિક ભીંસ ઊભી થતાં કંટાળીને અમે સામૂહિક આપઘાતનો નિર્ણય કર્યો હતો.

સ્વજન કેતન ઓડેસરાએ જણાવ્યું હતું કે, અમે સોની વેપારી છીએ. અમારે ઓર્ડર પ્રમાણે સોનાનું કામ કરવાનું હોય છે. અમે બહારના વેપારીને માલ આપીએ છીએ, તેમણે અમારું પેમેન્ટ આપ્યું નથી. મુંબઈના 4 વેપારી પાસેથી પોણાત્રણ કરોડ રૂપિયા લેવાના હતા. રૂપિયા માગીએ તો ટાઇમ આપ્યા રાખે છે. 11 મહિના જેટલો સમય થઈ ગયો છે. પરિવારના 9 સભ્યએ ઝેરી દવા પીધી છે. 15-15 દિવસના વાયદા આપતા હતા એટલે પોલીસ સુધી પહોંચ્યા નહોતા. પોલીસ પાસે ન જવાની ધમકી પણ આપતા. વિજય કૈલાસજી રાવલ, પ્રશાંત, મહેન્દ્ર નામના વેપારી છે. ઊધઇ મારવાની દવા પી લીધી છે. તો આ અંગે ભક્તિનગર પોલીસ જણાવ્યું હતું કે, તમામ બાબતોની તપાસ ચાલુ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દવા પીનાર પરિવારના સભ્યોનાં નામ

1. લલિત વલ્લભદાસ આડેસરા (ઉં.વ.72)
2. મીનાબેન લલિતભાઈ આડેસરા (ઉં.વ.64)
3. ચેતન લલિતભાઈ આડેસરા (ઉં.વ.45)
4. દિવ્યાબેન ચેતનભાઈ આડેસરા (ઉં.વ.43)
5. જય ચેતનભાઈ આડેસરા (ઉં.વ.21)
6. વિશાલ લલિતભાઈ આડેસરા (ઉં.વ.43)
7. સંગીતા વિશાલભાઈ આડેસરા (ઉં.વ.41)
8. સગીર (ઉં.વ.15)
9. એકને ઝેરની ઓછી અસર થઈ છે.

  1. તંત્રને જગાડવાનો ગામ લોકો મેદાને, રસ્તા માટે શ્રીરામ લખીને પથ્થરોથી રામસેતૂ બનાવવાનો કર્યો પ્રયાસ - The river causeway broke
  2. ભાવનગરમાં ચોમાસામાં તૂટેલા રસ્તાઓ ઠીક કરવામાં કરોડોના ખર્ચનો દાવો, સમારકામ માટે શું થઇ કામગીરી જાણો - Bad condition of roads

રાજકોટઃ રાજકોટમાં સોની પરિવારનો સામૂહિક આપઘાતના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક સોની પરિવારના 9 સભ્યે ઝેરી દવા પી લેતાં તમામને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. તમામની સ્થિતિ હાલ સ્થિર છે. મુંબઈના વેપારીને આપેલા સોનાના માલના કરોડો રૂપિયા ન આપતા સોની પરિવારે આવું પગલું ભર્યાનું એક સ્વજને જણાવ્યું છે. તેમજ બેંક લોન ભરપાઈ ન કરી શકતા સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સોની પરિવારના 9 સભ્યે ઝેરી દવા પીધી હતી, જેથી તમામને હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટમાં સામૂહીક આપઘાતનો પ્રયાસ (Etv Bharat Gujarat)

શું છે ઘટનાની સમગ્ર વિગતો? બનાવની પોલીસ પાસેથી મળતી પ્રાથમિક વિગત મુજબ રાજકોટના ગુંદાવાડીમાં આવેલા ગોવિંદપરામાં રહેતાં અને સોની બજારમાં પેઢી ધરાવતાં વેપારીએ પરિવારના બીજા 8 સભ્યો સાથે મળી ઝેરી દવા પી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તમામ સભ્યોએ શરબતમાં ઉધઈ મારવાની દવા નાખી પી લીધી હતી. જો કે બધા સભાન હતા પણ ચક્કર આવતા સારવાર માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અહીં તબીબે તપાસ કરતા લગભગ તમામ સભ્યોની હાલત ભયમુક્ત જણાઇ હતી. વેપારીએ જણાવ્યું હતું કે, મુંબઇના ચાર વેપારી કે, જેઓ એકબીજાના ભાગીદાર છે. તેમણે મારી પાસેથી વિશ્વાસ કેળવી સોનાના દાગીનાની ખરીદી શરૂ કરી હતી અને શરૂઆતમાં સમયસર પેમેન્ટ ચૂકવી દીધું હતું. પરંતુ બાદમાં પોણા ત્રણ કરોડનું સોનું ખરીદી કર્યા પછી હવે લાંબા સમયથી હું ઉઘરાણી કરતો હોવા છતાં તેઓ મારી રકમ પરત આપતાં ન હોય ઘરમાં અને વેપારમાં આર્થિક ભીંસ ઊભી થતાં કંટાળીને અમે સામૂહિક આપઘાતનો નિર્ણય કર્યો હતો.

સ્વજન કેતન ઓડેસરાએ જણાવ્યું હતું કે, અમે સોની વેપારી છીએ. અમારે ઓર્ડર પ્રમાણે સોનાનું કામ કરવાનું હોય છે. અમે બહારના વેપારીને માલ આપીએ છીએ, તેમણે અમારું પેમેન્ટ આપ્યું નથી. મુંબઈના 4 વેપારી પાસેથી પોણાત્રણ કરોડ રૂપિયા લેવાના હતા. રૂપિયા માગીએ તો ટાઇમ આપ્યા રાખે છે. 11 મહિના જેટલો સમય થઈ ગયો છે. પરિવારના 9 સભ્યએ ઝેરી દવા પીધી છે. 15-15 દિવસના વાયદા આપતા હતા એટલે પોલીસ સુધી પહોંચ્યા નહોતા. પોલીસ પાસે ન જવાની ધમકી પણ આપતા. વિજય કૈલાસજી રાવલ, પ્રશાંત, મહેન્દ્ર નામના વેપારી છે. ઊધઇ મારવાની દવા પી લીધી છે. તો આ અંગે ભક્તિનગર પોલીસ જણાવ્યું હતું કે, તમામ બાબતોની તપાસ ચાલુ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દવા પીનાર પરિવારના સભ્યોનાં નામ

1. લલિત વલ્લભદાસ આડેસરા (ઉં.વ.72)
2. મીનાબેન લલિતભાઈ આડેસરા (ઉં.વ.64)
3. ચેતન લલિતભાઈ આડેસરા (ઉં.વ.45)
4. દિવ્યાબેન ચેતનભાઈ આડેસરા (ઉં.વ.43)
5. જય ચેતનભાઈ આડેસરા (ઉં.વ.21)
6. વિશાલ લલિતભાઈ આડેસરા (ઉં.વ.43)
7. સંગીતા વિશાલભાઈ આડેસરા (ઉં.વ.41)
8. સગીર (ઉં.વ.15)
9. એકને ઝેરની ઓછી અસર થઈ છે.

  1. તંત્રને જગાડવાનો ગામ લોકો મેદાને, રસ્તા માટે શ્રીરામ લખીને પથ્થરોથી રામસેતૂ બનાવવાનો કર્યો પ્રયાસ - The river causeway broke
  2. ભાવનગરમાં ચોમાસામાં તૂટેલા રસ્તાઓ ઠીક કરવામાં કરોડોના ખર્ચનો દાવો, સમારકામ માટે શું થઇ કામગીરી જાણો - Bad condition of roads
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.