ETV Bharat / bharat

'હે ભગવાન...' માટીમાંથી શિવલિંગ બનાવી રહ્યાં હતાં બાળકો અને માથે પડી દિવાલ, 9 માસૂમના કરૂણ મોત - wall collapsed incident

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 4, 2024, 12:59 PM IST

સાગર જિલ્લાના શાહપુરમાં એક મોટી કરૂણાતિકા સર્જાય છે. કેટલાંક બાળકો માટીનું શિવલિંગ બનાવી રહ્યાં હતાં તે વખતે અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી જેમાં 9 બાળકોના કરૂણ મોત નિપજ્યા છે. દૂર્ઘટનાને લઈને સીએમ મોહન યાદવે, શોક વ્યક્ત કરીને, દરેકને 4 લાખ રૂપિયાની સહાયની રકમની જાહેરાત કરી છે. childrens died in shahpur of madhya pradesh

શાહપુરમાં એક મોટી કરૂણાતિકા
શાહપુરમાં એક મોટી કરૂણાતિકા (Etv Bharat)

સાગર: રહલી વિધાનસભા હેઠળના શાહપુર મ્યુનિસિપલ કાઉન્સિલમાં દિવાલ ધરાશાયી થવાથી 9 બાળકોના મૃત્યુ થયાનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે માટીનું શિવલિંગ બનાવવા માટે ઘણા બાળકો એકઠા થયા હતા. ત્યારબાદ માટીની દિવાલ ધરાશાયી થઈ અને તેની નીચે બાળકો દટાઈ ગયા. સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોપાલ ભાર્ગવ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રાહત બચાવ કાર્યમાં લાગ્યા હતાં. મૃતકો અને ઘાયલ બાળકોને સાગર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અહીં સીએમ મોહન યાદવે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને બાળકોની પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

શાહપુરમાં એક મોટી કરૂણાતિકા
શાહપુરમાં એક મોટી કરૂણાતિકા (Etv Bharat)

રાજ્ય સરકારે કરી સહાયની જાહેરાત

કરૂણ ઘટનાને લઈને પોતાના 'X' એકાઉન્ટ પર ટ્વીટ કરતા મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન મોહન યાદવે લખ્યું કે, "આજે સાગર જિલ્લાના શાહપુરમાં ભારે વરસાદને કારણે એક જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થવાથી 9 માસૂમ બાળકોના મોતના સમાચાર સાંભળીને દુઃખી છું. ઘાયલ બાળકોને યોગ્ય સારવાર આપવા માટે જિલ્લા વહીવટીતંત્રને નિર્દેશ આપવામાં આવ્યો છે. મૃત બાળકોના આત્માને પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના. હું અકસ્માતમાં ઘાયલ અન્ય બાળકોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. માસૂમ બાળકોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. મૃતક બાળકોના પરિવારજનોને સરકાર દ્વારા 4 લાખ રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે.

આજે, સાગર જિલ્લાના શાહપુરમાં ભારે વરસાદને કારણે જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થવાથી 9 માસૂમ બાળકોના મોતના સમાચાર સાંભળીને મને દુઃખ થયું છે. ઇજાગ્રસ્ત બાળકોને યોગ્ય સારવાર આપવા માટે જિલ્લા વહીવટીતંત્રને નિર્દેશ આપવામાં આવ્યો છે.

  1. વાયનાડ ભૂસ્ખલન દૂર્ઘટના, 340ના મૃત્યુ, 200થી વધુ ગુમ, પાંચમાં દિવસે પણ સર્ચ ઓપરેશન યથાવત - Kerala Landslide

સાગર: રહલી વિધાનસભા હેઠળના શાહપુર મ્યુનિસિપલ કાઉન્સિલમાં દિવાલ ધરાશાયી થવાથી 9 બાળકોના મૃત્યુ થયાનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે માટીનું શિવલિંગ બનાવવા માટે ઘણા બાળકો એકઠા થયા હતા. ત્યારબાદ માટીની દિવાલ ધરાશાયી થઈ અને તેની નીચે બાળકો દટાઈ ગયા. સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોપાલ ભાર્ગવ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રાહત બચાવ કાર્યમાં લાગ્યા હતાં. મૃતકો અને ઘાયલ બાળકોને સાગર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અહીં સીએમ મોહન યાદવે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને બાળકોની પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

શાહપુરમાં એક મોટી કરૂણાતિકા
શાહપુરમાં એક મોટી કરૂણાતિકા (Etv Bharat)

રાજ્ય સરકારે કરી સહાયની જાહેરાત

કરૂણ ઘટનાને લઈને પોતાના 'X' એકાઉન્ટ પર ટ્વીટ કરતા મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન મોહન યાદવે લખ્યું કે, "આજે સાગર જિલ્લાના શાહપુરમાં ભારે વરસાદને કારણે એક જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થવાથી 9 માસૂમ બાળકોના મોતના સમાચાર સાંભળીને દુઃખી છું. ઘાયલ બાળકોને યોગ્ય સારવાર આપવા માટે જિલ્લા વહીવટીતંત્રને નિર્દેશ આપવામાં આવ્યો છે. મૃત બાળકોના આત્માને પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના. હું અકસ્માતમાં ઘાયલ અન્ય બાળકોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. માસૂમ બાળકોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. મૃતક બાળકોના પરિવારજનોને સરકાર દ્વારા 4 લાખ રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે.

આજે, સાગર જિલ્લાના શાહપુરમાં ભારે વરસાદને કારણે જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થવાથી 9 માસૂમ બાળકોના મોતના સમાચાર સાંભળીને મને દુઃખ થયું છે. ઇજાગ્રસ્ત બાળકોને યોગ્ય સારવાર આપવા માટે જિલ્લા વહીવટીતંત્રને નિર્દેશ આપવામાં આવ્યો છે.

  1. વાયનાડ ભૂસ્ખલન દૂર્ઘટના, 340ના મૃત્યુ, 200થી વધુ ગુમ, પાંચમાં દિવસે પણ સર્ચ ઓપરેશન યથાવત - Kerala Landslide
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.