ETV Bharat / bharat

Bombay High Court : એક સમયના એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ પ્રદીપ શર્માને આજીવન કેદ, જાણો શું હતો સમગ્ર મામલો...

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 19, 2024, 10:17 PM IST

બોમ્બે હાઈકોર્ટે મંગળવારે મુંબઈ પોલીસના ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને આજીવન કેદની સજા ફટકારી છે, જ્યારે 2006ના લાખન ભૈયાની નકલી એન્કાઉન્ટરમાંની હત્યા મામલે 12 પોલીસ કર્મચારીઓ સહિત 13 અન્ય લોકોને આપવામાં આવેલી આજીવન કેદની સજા યથાવત રાખી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર વિસ્તારથી....

Bombay High Court
Bombay High Court

મુંબઈઃ બોમ્બે હાઈકોર્ટે મુંબઈ પોલીસના ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ પ્રદીપ શર્માને આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2006માં મુંબઈમાં ગેંગસ્ટર છોટા રાજનના કથિત સાગરિત રામનારાયણ ગુપ્તાનું નકલી એન્કાઉન્ટર કેસમાં મંગળવારે કોર્ટે શર્માને દોષી ઠેરવ્યા છે. ન્યાયધીશ રેવતિ મોહિતે ડેરે અને ન્યાયધીશ ગૌરી ગોડસેની ખંડપીઠે શર્માને મુક્ત કરવાના સેશન કોર્ટના 2013ના ચુકાદાને વિકૃત અને અસ્થિર ગણાવતા રદ્દ કરી દીધો છે.

કોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટે શર્મા વિરુદ્ધ ઉપલબ્ધ જબરજસ્ત પુરાવાઓની અવગણના કરી હતી. પુરાવાઓની સામાન્ય કડી આ કેસમાં તેની સંડોવણી સ્પષ્ટપણે સાબિત કરે છે. બેન્ચે શર્માને ત્રણ સપ્તાહની અંદર સંબંધિત સેશન્સ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો. હાઈકોર્ટે પોલીસકર્મીઓ સહિત 13 લોકોને નીચલી અદાલતે આપેલી દોષિત ઠરાવી અને આજીવન કેદની સજાને પણ યથાવત રાખી હતી અને અન્ય છ આરોપીઓની સજા અને આજીવન કેદને રદ કરીને તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.

13 પોલીસકર્મીઓ સહિત 22 લોકો પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 2013માં સેશન્સ કોર્ટે પુરાવાના અભાવે શર્માને નિર્દોષ જાહેર કર્યા હતા અને 21 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. 21 આરોપીઓમાંથી બેના કસ્ટડીમાં મોત થયા હતા. જ્યારે આરોપીઓએ તેમની દોષિ કરારને પડકારતી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી, ત્યારે ફરિયાદ પક્ષ અને પીડિતાના ભાઈ રામપ્રસાદ ગુપ્તાએ શર્માને નિર્દોષ છોડવા સામે અપીલ દાખલ કરી હતી. વિશેષ સરકારી વકીલ રાજીવ ચવ્હાણે દલીલ કરી હતી કે હાલના કેસમાં જે અધિકારીઓ કાયદો અને વ્યવસ્થાના રક્ષક હતા તેઓ પોતે તબક્કાવાર ક્રૂર હત્યામાં સામેલ હતા.

આ કેસમાં શર્માને દોષિત ઠેરવવાની માંગ કરનાર ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે ભૂતપૂર્વ પોલીસકર્મી સમગ્ર અપહરણ અને હત્યાના ઓપરેશનનો મુખ્ય કાવતરાખોર અને માસ્ટરમાઇન્ડ હતો. 11 નવેમ્બર 2006ના રોજ, એક પોલીસ ટીમે ગુપ્તા ઉર્ફે લખન ભૈયાને પડોશી વાશીમાંથી શંકાના આધારે ઝડપી લીધો હતો કે તે રાજન ગેંગનો સભ્ય હતો, તેના મિત્ર અનિલ ભેડા સાથે તે જ સાંજે વર્સોવાના નાની નાના પાર્ક નજીક નકલી એન્કાઉન્ટરમાં ગુપ્તાની હત્યા કરી દેવામં આવી.

  1. CAA hearing in Supreme Court : CAA પર 'સુપ્રીમ' સુનાવણી, 200 થી વધુ અરજી દાખલ થઈ
  2. Electoral bonds verdict : ' ચુકાદા રાષ્ટ્રની સંપત્તિ ' ચૂંટણી બોન્ડ મામલે સુપ્રીમ કોર્ટની મહત્ત્વની વાત, કેન્દ્રએ પોસ્ટ્સ ફ્લેગ કરી હતી

મુંબઈઃ બોમ્બે હાઈકોર્ટે મુંબઈ પોલીસના ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ પ્રદીપ શર્માને આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2006માં મુંબઈમાં ગેંગસ્ટર છોટા રાજનના કથિત સાગરિત રામનારાયણ ગુપ્તાનું નકલી એન્કાઉન્ટર કેસમાં મંગળવારે કોર્ટે શર્માને દોષી ઠેરવ્યા છે. ન્યાયધીશ રેવતિ મોહિતે ડેરે અને ન્યાયધીશ ગૌરી ગોડસેની ખંડપીઠે શર્માને મુક્ત કરવાના સેશન કોર્ટના 2013ના ચુકાદાને વિકૃત અને અસ્થિર ગણાવતા રદ્દ કરી દીધો છે.

કોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટે શર્મા વિરુદ્ધ ઉપલબ્ધ જબરજસ્ત પુરાવાઓની અવગણના કરી હતી. પુરાવાઓની સામાન્ય કડી આ કેસમાં તેની સંડોવણી સ્પષ્ટપણે સાબિત કરે છે. બેન્ચે શર્માને ત્રણ સપ્તાહની અંદર સંબંધિત સેશન્સ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો. હાઈકોર્ટે પોલીસકર્મીઓ સહિત 13 લોકોને નીચલી અદાલતે આપેલી દોષિત ઠરાવી અને આજીવન કેદની સજાને પણ યથાવત રાખી હતી અને અન્ય છ આરોપીઓની સજા અને આજીવન કેદને રદ કરીને તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.

13 પોલીસકર્મીઓ સહિત 22 લોકો પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 2013માં સેશન્સ કોર્ટે પુરાવાના અભાવે શર્માને નિર્દોષ જાહેર કર્યા હતા અને 21 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. 21 આરોપીઓમાંથી બેના કસ્ટડીમાં મોત થયા હતા. જ્યારે આરોપીઓએ તેમની દોષિ કરારને પડકારતી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી, ત્યારે ફરિયાદ પક્ષ અને પીડિતાના ભાઈ રામપ્રસાદ ગુપ્તાએ શર્માને નિર્દોષ છોડવા સામે અપીલ દાખલ કરી હતી. વિશેષ સરકારી વકીલ રાજીવ ચવ્હાણે દલીલ કરી હતી કે હાલના કેસમાં જે અધિકારીઓ કાયદો અને વ્યવસ્થાના રક્ષક હતા તેઓ પોતે તબક્કાવાર ક્રૂર હત્યામાં સામેલ હતા.

આ કેસમાં શર્માને દોષિત ઠેરવવાની માંગ કરનાર ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે ભૂતપૂર્વ પોલીસકર્મી સમગ્ર અપહરણ અને હત્યાના ઓપરેશનનો મુખ્ય કાવતરાખોર અને માસ્ટરમાઇન્ડ હતો. 11 નવેમ્બર 2006ના રોજ, એક પોલીસ ટીમે ગુપ્તા ઉર્ફે લખન ભૈયાને પડોશી વાશીમાંથી શંકાના આધારે ઝડપી લીધો હતો કે તે રાજન ગેંગનો સભ્ય હતો, તેના મિત્ર અનિલ ભેડા સાથે તે જ સાંજે વર્સોવાના નાની નાના પાર્ક નજીક નકલી એન્કાઉન્ટરમાં ગુપ્તાની હત્યા કરી દેવામં આવી.

  1. CAA hearing in Supreme Court : CAA પર 'સુપ્રીમ' સુનાવણી, 200 થી વધુ અરજી દાખલ થઈ
  2. Electoral bonds verdict : ' ચુકાદા રાષ્ટ્રની સંપત્તિ ' ચૂંટણી બોન્ડ મામલે સુપ્રીમ કોર્ટની મહત્ત્વની વાત, કેન્દ્રએ પોસ્ટ્સ ફ્લેગ કરી હતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.