ETV Bharat / bharat

'ગંગાજળથી મોદીએ નીતિશને પવિત્ર કર્યા, પછી મુખ્યમંત્રી બનાવ્યા', ભાજપ નેતાનું વિવાદાસ્પદ નિવેદન - NITISH KUMAR

ભાજપના નેતા અમરનાથ જાયસવાલે સીએમ નીતીશના કાર્યક્રમમાં જવા દેવામાં ન આવતા તેઓ રોષે ભરાયા હતા અને નીતીશ કુમારને લઈને વિવાદીત નિવેદન આપ્યું હતું.

ભાજપ નેતાનું વિવાદાસ્પદ નિવેદન
ભાજપ નેતાનું વિવાદાસ્પદ નિવેદન (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 16, 2025, 7:04 PM IST

બક્સર: ભાજપના વરિષ્ઠ નેતા અમરનાથ જાયસવાલ ત્યારે પોતાના ગુસ્સો વ્યક્ત કરી બેઠા જ્યારે તેમને નીતીશના કાર્યક્રમમાં જવા ન દેવાયા. અહીં તેમણે 476 કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપ અને જેડીયુના નેતાઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જોકે, અહીં કેટલાંક ભાજપના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં તેમણે શબ્દોની મર્યાદા વટાવીને નીતિશ કુમારને લઈને વિવાદાસ્પદ નિવેદન પણ આપી બેઠા.

નીતીશકુમારને લઈને ભાજપના નેતાનું વિવાદાસ્પદ નિવેદનઃ મુખ્યપ્રધાન નીતિશ કુમાર રામરેખા ઘાટ પર પહોંચ્યા હતા. ત્યારે મુખ્યમંત્રીના સ્વાગત માટે તૈયાર ભાજપ અને જેડીયુના ઘણા મોટા નેતાઓને સુરક્ષા જવાનોએ ઘાટ પર જવા દીધા ન હતા. જેને લઈને આગેવાનોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે ભાજપના અતિપછાત મોરચાના પ્રદેશ પ્રભારી અમરનાથ જાયસવાલે કહ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુંભમાંથી ગંગાનું પાણી મંગાવીને પવિત્ર કર્યા બાદ નીતિશ કુમાર સાથે મહાગઠબંધનમાં જોડ્યા હતાં.

"આજે, ભાજપના નેતાઓને તેમના (નીતીશ કુમારના) કાર્યક્રમમાં જવા દેવાયા ન્હોતા. અમે લોકો વાણિયા સમુદાયમાંથી આવ્યા છીએ એટલે અમને અપમાનિત કરવામાં આવે છે. જો નીતીશ કુમારે માત્ર એક ઈશારો કરી દીધો હોત તો અમને રોકવામાં આવ્યા ન હોત."- અમરનાથ જયસ્વાલ, પ્રદેશ પ્રભારી, ભાજપ અતિપછાત મોરચો

ગંગા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટનઃ પ્રગતિ યાત્રા દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બક્સરમાં આર્સેનિકની સમસ્યાથી જજૂમી રહેલા 51 ગામોના લગભગ 37 હજાર પરિવારોને ગંગા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરીને ભેટ આપી છે. જેને લઈને સિમરી બ્લોકના લોકો ખૂબ જ ઉત્સાહિત છે. હવે લોકો ગંગાનું શુદ્ધ પીવાનું પાણી મેળી શકશે.

રામરેખા ઘાટનું નિરીક્ષણ: નીતિશ કુમારે શહેરના ઐતિહાસિક રામરેખા ઘાટનું નિરીક્ષણ કર્યું, જ્યાં ત્રેતાયુગમાં ભગવાન રામે નારી હત્યા દોષથી મુક્તિ મેળવવા માટે ઉત્તરાયણી ગંગામાં ડૂબકી લગાવી હતી. મિની કાશીના નામે પ્રસિદ્ધ ઉત્તરાયણી ગંગાના કિનારે વસેલું બક્સર તેના ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.

મિની કાશીનું અલગ સ્વરૂપ જોવા મળ્યુંઃ રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિશ્વામિત્રની નગરીના નામથી પ્રસિદ્ધ આ શહેરના ઐતિહાસિક રામરેખા ઘાટનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન શંખ ફૂંકીને અને પરંપરાગત સંગીતનાં સાધનો વગાડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નીતિશ કુમારે લગભગ 14 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા કાફેટેરિયા અને 7ડી સેન્ટરનો શિલાન્યાસ કર્યો.

  1. 27 કિલો સોનું.. ચાંદીના દાગીના, પૂર્વ સીએમ જયલલિતાની કરોડોની સંપત્તિ તમિલનાડુ સરકારને સોંપાઈ
  2. ગુજરાતમાં UCC લાગૂ કરવા રાજધાનીમાં લેવાઈ રહ્યો છે નિર્ણય, ઉચ્ચસ્તરીય સમિતિની બેઠક મળી

બક્સર: ભાજપના વરિષ્ઠ નેતા અમરનાથ જાયસવાલ ત્યારે પોતાના ગુસ્સો વ્યક્ત કરી બેઠા જ્યારે તેમને નીતીશના કાર્યક્રમમાં જવા ન દેવાયા. અહીં તેમણે 476 કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપ અને જેડીયુના નેતાઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જોકે, અહીં કેટલાંક ભાજપના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં તેમણે શબ્દોની મર્યાદા વટાવીને નીતિશ કુમારને લઈને વિવાદાસ્પદ નિવેદન પણ આપી બેઠા.

નીતીશકુમારને લઈને ભાજપના નેતાનું વિવાદાસ્પદ નિવેદનઃ મુખ્યપ્રધાન નીતિશ કુમાર રામરેખા ઘાટ પર પહોંચ્યા હતા. ત્યારે મુખ્યમંત્રીના સ્વાગત માટે તૈયાર ભાજપ અને જેડીયુના ઘણા મોટા નેતાઓને સુરક્ષા જવાનોએ ઘાટ પર જવા દીધા ન હતા. જેને લઈને આગેવાનોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે ભાજપના અતિપછાત મોરચાના પ્રદેશ પ્રભારી અમરનાથ જાયસવાલે કહ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુંભમાંથી ગંગાનું પાણી મંગાવીને પવિત્ર કર્યા બાદ નીતિશ કુમાર સાથે મહાગઠબંધનમાં જોડ્યા હતાં.

"આજે, ભાજપના નેતાઓને તેમના (નીતીશ કુમારના) કાર્યક્રમમાં જવા દેવાયા ન્હોતા. અમે લોકો વાણિયા સમુદાયમાંથી આવ્યા છીએ એટલે અમને અપમાનિત કરવામાં આવે છે. જો નીતીશ કુમારે માત્ર એક ઈશારો કરી દીધો હોત તો અમને રોકવામાં આવ્યા ન હોત."- અમરનાથ જયસ્વાલ, પ્રદેશ પ્રભારી, ભાજપ અતિપછાત મોરચો

ગંગા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટનઃ પ્રગતિ યાત્રા દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બક્સરમાં આર્સેનિકની સમસ્યાથી જજૂમી રહેલા 51 ગામોના લગભગ 37 હજાર પરિવારોને ગંગા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરીને ભેટ આપી છે. જેને લઈને સિમરી બ્લોકના લોકો ખૂબ જ ઉત્સાહિત છે. હવે લોકો ગંગાનું શુદ્ધ પીવાનું પાણી મેળી શકશે.

રામરેખા ઘાટનું નિરીક્ષણ: નીતિશ કુમારે શહેરના ઐતિહાસિક રામરેખા ઘાટનું નિરીક્ષણ કર્યું, જ્યાં ત્રેતાયુગમાં ભગવાન રામે નારી હત્યા દોષથી મુક્તિ મેળવવા માટે ઉત્તરાયણી ગંગામાં ડૂબકી લગાવી હતી. મિની કાશીના નામે પ્રસિદ્ધ ઉત્તરાયણી ગંગાના કિનારે વસેલું બક્સર તેના ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.

મિની કાશીનું અલગ સ્વરૂપ જોવા મળ્યુંઃ રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિશ્વામિત્રની નગરીના નામથી પ્રસિદ્ધ આ શહેરના ઐતિહાસિક રામરેખા ઘાટનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન શંખ ફૂંકીને અને પરંપરાગત સંગીતનાં સાધનો વગાડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નીતિશ કુમારે લગભગ 14 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા કાફેટેરિયા અને 7ડી સેન્ટરનો શિલાન્યાસ કર્યો.

  1. 27 કિલો સોનું.. ચાંદીના દાગીના, પૂર્વ સીએમ જયલલિતાની કરોડોની સંપત્તિ તમિલનાડુ સરકારને સોંપાઈ
  2. ગુજરાતમાં UCC લાગૂ કરવા રાજધાનીમાં લેવાઈ રહ્યો છે નિર્ણય, ઉચ્ચસ્તરીય સમિતિની બેઠક મળી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.