ETV Bharat / bharat

હવે વરસાદના જથ્થાને માપી શકાશે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે તૈયાર કરવામાં આવી ઓટોમેટેડ રેઈનફોલ મોનિટરિંગ સિસ્ટમ - Rainfall Monitoring System

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 14, 2024, 2:15 PM IST

ભારત સરકાર દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નવી ટેકનોલોજી અપનાવવામાં આવશે. આ પદ્ધતિ એ વરસાદના જથ્થાના માપન માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ પદ્ધતિ એ એક સ્વયંસંચાલિત વરસાદ નિયંત્રણ પધ્ધતિ રહેશે. તો કેવી રીતે આ પદ્ધતિ કામ કરશે જાણવા માટે વાંચો આ અહેવાલ. Rainfall Monitoring System

આ પદ્ધતિ એ એક સ્વયંસંચાલિત વરસાદ નિયંત્રણ પધ્ધતિ રહેશે
આ પદ્ધતિ એ એક સ્વયંસંચાલિત વરસાદ નિયંત્રણ પધ્ધતિ રહેશે (etv bharat gujarat)

NHSRCL: બુલેટ ટ્રેન સેવાઓની સલામત કામગીરી સુનિશ્ચિત કરવા માટે, સ્વયંસંચાલિત વરસાદ નિયંત્રણ પધ્ધતિ (ઓટોમેટેડ રેઈનફોલ મોનિટરિંગ સિસ્ટમ) અપનાવવામાં આવી છે. આ માટે અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમથી સજ્જ રેઇન ગેજનો ઉપયોગ કરવામાં આવશે. જેના મદદથી વરસાદ અંગે જે તે સમયની વાસ્તવિક માહિતી મેળવી શકાશે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે તૈયાર કરવામાં આવી ઓટોમેટેડ રેઈનફોલ મોનિટરિંગ સિસ્ટમ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે તૈયાર કરવામાં આવી ઓટોમેટેડ રેઈનફોલ મોનિટરિંગ સિસ્ટમ (etv bharat gujarat)

આથી હવે વરસાદ અંગેની માહિતી આ પદ્ધતિ દ્વારા મેળવવી સરળ બની જશે. જે બુલેટ ટ્રેનને પ્રવાસમાં ગતિવિષયક નિર્ણય લેવામાં મદદરૂપ બનશે.

માપદંડ ત્રિસ્તરીય વિભાગ ધરાવે છે: તમને જણાવી દઈએ કે, નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આપવામાં આવેલી આ માહિતી પ્રમાણે, આ અદ્યતન ટેકનોલોજીના દરેક માપદંડ ત્રિસ્તરીય વિભાગ ધરાવે છે, જે એકત્રિત થયેલા વરસાદના જથ્થાના પ્રતિભાવમાં સિગ્નલ પલ્સ પેદા કરે છે. આ પલ્સને સિગ્નલ સંચાર લાઇન મારફતે સંચાલન નિયંત્રણ કેન્દ્ર (occ)માં આવેલા ફેસિલિટી નિયંત્રણ પધ્ધતિમાં મોકલવામાં આવે છે, જ્યાં તેને સાવચેતીપૂર્વક પ્રદર્શિત કરવામાં આવે છે અને તેનું નિરીક્ષણ કરવામાં આવે છે.

વરસાદના જથ્થાની માપણી: આ સંપૂર્ણ પ્રક્રિયાને પરિણામે બે જટિલ માપન મૂલ્યો મેળવી શકાય છે. જેમાં પ્રથમ છે કલાક દીઠ વરસાદ એટેલે કે છેલ્લા એક કલાકમાં નોંધાયેલા વરસાદનું પ્રમાણ અને બીજું છે 24 કલાક વરસાદ એટલે કે છેલ્લા 24 કલાકમાં કુલ વરસાદનું પ્રમાણ. આ પ્રકારના માપન ટ્રેનની કામગીરી અંગે માહિતગાર નિર્ણયો લેવા માટે નિર્ણાયક બને છે, તેમાં પણ ખાસ કરીને ભારે વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારોમાં અને પૃથ્વીના માળખા અને કુદરતી ઢોળાવ પર તેની અસરો જાણવા માટે આ અત્યંત ઉપયોગી છે.

ચોક્કસ નિયમો લાગુ કરાશે: જાળવણી કેન્દ્રો દ્વારા સક્રિય કરાયેલી પેટ્રોલિંગ ટીમો દ્વારા યોગ્ય રીતે માન્ય કરાયેલ દરેક વિભાગ માટે વરસાદના ડેટા અને થ્રેશોલ્ડ મૂલ્યોના પ્રકાર અને દરેક વિભાગ માટે કુદરતી ઢોળાવના આધારે ચોક્કસ નિયમો લાગુ કરવામાં આવશે.

છ જગ્યાએ લગવામાં આવશે આ માપન: આથી આવા પ્રકારના છ ઇન્સ્ટ્રુમેન્ટેડ વરસાદ માપન સ્ટેશનો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર, થાણે અને પાલઘર જિલ્લાઓમાં, ખાસ કરીને સંવેદનશીલ પૃથ્વીના માળખાં, પર્વતીય બોગદાંના પ્રવેશ દ્વાર તેમજ બહાર નીકળવાના આ તમામ બોગદાં પોર્ટલ વગેરે જગ્યાએ લગાવવાની વાત મૂકવામાં આવી છે. ઉપરાંત નોંધપાત્ર એવા કટિંગ્સ અને સંભવિત ભૂસ્ખલનના જોખમોવાળા વિસ્તારો પર પણ આ પદ્ધતિ દ્વારા નજીકથી નજર રાખવામાં આવશે. તમને જણાવી દઈએ કે, વરસાદ માપણી પ્રભાવ ત્રિજ્યા લગભગ 10 કિ.મી છે.

  1. 200 ચોરસ માઈલમાં ફેલાયેલ ખાવડા મેગા પાવર પ્લાન્ટ અવકાશમાંથી કેવો દેખાય છે? જૂઓ તસવીર - Khavda Mega Power Plant
  2. લોન્ચ કરાયેલ AI ટૂલ માણસોની જેમ વાત કરશે, જણાવશે તમારો મૂડ કેવો છે - OpenAI GPT 4o - Tell Your Mood OpenAI GPT 4o

NHSRCL: બુલેટ ટ્રેન સેવાઓની સલામત કામગીરી સુનિશ્ચિત કરવા માટે, સ્વયંસંચાલિત વરસાદ નિયંત્રણ પધ્ધતિ (ઓટોમેટેડ રેઈનફોલ મોનિટરિંગ સિસ્ટમ) અપનાવવામાં આવી છે. આ માટે અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમથી સજ્જ રેઇન ગેજનો ઉપયોગ કરવામાં આવશે. જેના મદદથી વરસાદ અંગે જે તે સમયની વાસ્તવિક માહિતી મેળવી શકાશે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે તૈયાર કરવામાં આવી ઓટોમેટેડ રેઈનફોલ મોનિટરિંગ સિસ્ટમ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે તૈયાર કરવામાં આવી ઓટોમેટેડ રેઈનફોલ મોનિટરિંગ સિસ્ટમ (etv bharat gujarat)

આથી હવે વરસાદ અંગેની માહિતી આ પદ્ધતિ દ્વારા મેળવવી સરળ બની જશે. જે બુલેટ ટ્રેનને પ્રવાસમાં ગતિવિષયક નિર્ણય લેવામાં મદદરૂપ બનશે.

માપદંડ ત્રિસ્તરીય વિભાગ ધરાવે છે: તમને જણાવી દઈએ કે, નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આપવામાં આવેલી આ માહિતી પ્રમાણે, આ અદ્યતન ટેકનોલોજીના દરેક માપદંડ ત્રિસ્તરીય વિભાગ ધરાવે છે, જે એકત્રિત થયેલા વરસાદના જથ્થાના પ્રતિભાવમાં સિગ્નલ પલ્સ પેદા કરે છે. આ પલ્સને સિગ્નલ સંચાર લાઇન મારફતે સંચાલન નિયંત્રણ કેન્દ્ર (occ)માં આવેલા ફેસિલિટી નિયંત્રણ પધ્ધતિમાં મોકલવામાં આવે છે, જ્યાં તેને સાવચેતીપૂર્વક પ્રદર્શિત કરવામાં આવે છે અને તેનું નિરીક્ષણ કરવામાં આવે છે.

વરસાદના જથ્થાની માપણી: આ સંપૂર્ણ પ્રક્રિયાને પરિણામે બે જટિલ માપન મૂલ્યો મેળવી શકાય છે. જેમાં પ્રથમ છે કલાક દીઠ વરસાદ એટેલે કે છેલ્લા એક કલાકમાં નોંધાયેલા વરસાદનું પ્રમાણ અને બીજું છે 24 કલાક વરસાદ એટલે કે છેલ્લા 24 કલાકમાં કુલ વરસાદનું પ્રમાણ. આ પ્રકારના માપન ટ્રેનની કામગીરી અંગે માહિતગાર નિર્ણયો લેવા માટે નિર્ણાયક બને છે, તેમાં પણ ખાસ કરીને ભારે વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારોમાં અને પૃથ્વીના માળખા અને કુદરતી ઢોળાવ પર તેની અસરો જાણવા માટે આ અત્યંત ઉપયોગી છે.

ચોક્કસ નિયમો લાગુ કરાશે: જાળવણી કેન્દ્રો દ્વારા સક્રિય કરાયેલી પેટ્રોલિંગ ટીમો દ્વારા યોગ્ય રીતે માન્ય કરાયેલ દરેક વિભાગ માટે વરસાદના ડેટા અને થ્રેશોલ્ડ મૂલ્યોના પ્રકાર અને દરેક વિભાગ માટે કુદરતી ઢોળાવના આધારે ચોક્કસ નિયમો લાગુ કરવામાં આવશે.

છ જગ્યાએ લગવામાં આવશે આ માપન: આથી આવા પ્રકારના છ ઇન્સ્ટ્રુમેન્ટેડ વરસાદ માપન સ્ટેશનો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર, થાણે અને પાલઘર જિલ્લાઓમાં, ખાસ કરીને સંવેદનશીલ પૃથ્વીના માળખાં, પર્વતીય બોગદાંના પ્રવેશ દ્વાર તેમજ બહાર નીકળવાના આ તમામ બોગદાં પોર્ટલ વગેરે જગ્યાએ લગાવવાની વાત મૂકવામાં આવી છે. ઉપરાંત નોંધપાત્ર એવા કટિંગ્સ અને સંભવિત ભૂસ્ખલનના જોખમોવાળા વિસ્તારો પર પણ આ પદ્ધતિ દ્વારા નજીકથી નજર રાખવામાં આવશે. તમને જણાવી દઈએ કે, વરસાદ માપણી પ્રભાવ ત્રિજ્યા લગભગ 10 કિ.મી છે.

  1. 200 ચોરસ માઈલમાં ફેલાયેલ ખાવડા મેગા પાવર પ્લાન્ટ અવકાશમાંથી કેવો દેખાય છે? જૂઓ તસવીર - Khavda Mega Power Plant
  2. લોન્ચ કરાયેલ AI ટૂલ માણસોની જેમ વાત કરશે, જણાવશે તમારો મૂડ કેવો છે - OpenAI GPT 4o - Tell Your Mood OpenAI GPT 4o
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.