ETV Bharat / bharat

દિગ્વિજયસિંહને કાયમી વિદાય કરો, પરંતુ 'આશિક કા જનાજા હૈ જરા ધૂમ સે નીકલે.'-અમિત શાહ - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024

મધ્યપ્રદેશના રાજગઢમાં જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, દિગ્વિજય સિંહને કાયમી વિદાય આપવાનો સમય આવી ગયો છે. અમિત શાહે કટાક્ષ કર્યો કે, 'આશિક કા જનાજા હૈ જરા ધૂમ સે નીકલે.' Loksabha Election 2024 MP Rajgadh BJP Amit Shah Digvijaysinh Congress

દિગ્વિજયસિંહને કાયમી વિદાય કરો
દિગ્વિજયસિંહને કાયમી વિદાય કરો
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 26, 2024, 8:40 PM IST

દિગ્વિજયસિંહને કાયમી વિદાય કરો

રાજગઢઃ મધ્યપ્રદેશની હાઈ પ્રોફાઈલ બેઠક એવી રાજગઢ પર આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ અહીંથી ઉમેદવાર છે. શુક્રવારે રાજગઢમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિગ્વિજયસિંહ વિશે કટાક્ષ કર્યા હતા. બીજેપી ઉમેદવારના સમર્થનમાં રાજગઢ જિલ્લાના ખિલચીપુરમાં જાહેર સભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું,'આશિક કા જનાજા હૈ જરા ધૂમ સે નીકલે.'

કાયમી વિદાય: અમિત શાહે રાજગઢ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવારને વધુમાં વધુ લીડથી જીતાડવાની અપીલ કરી હતી. દિગ્વિજયસિંહ માટે અમિત શાહે કહ્યું કે, તે ઘણી વખત આવ્યા છે અને ઘણી વખત ગયા છે. હવે તેમને કાયમી વિદાય આપવાનો સમય આવી ગયો છે. રાજગઢની જનતાએ દિગ્વિજયસિંહને રાજનીતિમાંથી કાયમી વિદાય આપી દેવી જોઈએ, પરંતુ મારી એક વિનંતી છે. રાજકારણમાંથી તેમને કાયમી વિદાય આપો તો ધૂમધામથી આપો આ આશિકની અંતિમયાત્રા છે. દિગ્વિજયસિંહને મોટી લીડથી હરાવો. શુક્રવારે રાજગઢમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિગ્વિજયસિંહ વિશે કટાક્ષ કર્યા હતા. બીજેપી ઉમેદવારના સમર્થનમાં રાજગઢ જિલ્લાના ખિલચીપુરમાં જાહેર સભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું,'આશિક કા જનાજા હૈ જરા ધૂમ સે નીકલે.'

સનાતન વિરોધીઃ અમિત શાહે પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજયસિંહ પર વાકપ્રહાર કર્યા હતા. અમિત શાહે ભાષણની શરૂઆત રાજગઢ જિલ્લામાં સ્થિત તમામ પ્રતિષ્ઠિત મંદિરોનો ઉલ્લેખ કરીને કરી હતી. જયશ્રી રામના મંત્રોચ્ચાર બાદ અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છેલ્લા 10 વર્ષની ઉપલબ્ધિઓ ગણાવી હતી. આ સિવાય તેમણે રામ મંદિરના અભિષેક સમારોહ માટેના આમંત્રણને નકારવા બદલ કોંગ્રેસના નેતાઓ પર વાકપ્રહાર કર્યા હતા. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ શરૂઆતથી જ સનાતન વિરોધી રહી છે.

  1. તેલંગાણામાં મુસલમાનોની અનામત બંધ કરી દઈશું: તેલંગાણાના સિદ્દીપેટમાં બોલ્યા અમિત શાહ - Amit Shah Statement
  2. ગાંધીનગર લોકસભા સીટ પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુકાબલાની સંભાવના નહિવત,ભાજપની લીડ 2019 અને 2024 વચ્ચે છે - Lok Sabha Election 2024

દિગ્વિજયસિંહને કાયમી વિદાય કરો

રાજગઢઃ મધ્યપ્રદેશની હાઈ પ્રોફાઈલ બેઠક એવી રાજગઢ પર આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ અહીંથી ઉમેદવાર છે. શુક્રવારે રાજગઢમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિગ્વિજયસિંહ વિશે કટાક્ષ કર્યા હતા. બીજેપી ઉમેદવારના સમર્થનમાં રાજગઢ જિલ્લાના ખિલચીપુરમાં જાહેર સભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું,'આશિક કા જનાજા હૈ જરા ધૂમ સે નીકલે.'

કાયમી વિદાય: અમિત શાહે રાજગઢ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવારને વધુમાં વધુ લીડથી જીતાડવાની અપીલ કરી હતી. દિગ્વિજયસિંહ માટે અમિત શાહે કહ્યું કે, તે ઘણી વખત આવ્યા છે અને ઘણી વખત ગયા છે. હવે તેમને કાયમી વિદાય આપવાનો સમય આવી ગયો છે. રાજગઢની જનતાએ દિગ્વિજયસિંહને રાજનીતિમાંથી કાયમી વિદાય આપી દેવી જોઈએ, પરંતુ મારી એક વિનંતી છે. રાજકારણમાંથી તેમને કાયમી વિદાય આપો તો ધૂમધામથી આપો આ આશિકની અંતિમયાત્રા છે. દિગ્વિજયસિંહને મોટી લીડથી હરાવો. શુક્રવારે રાજગઢમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિગ્વિજયસિંહ વિશે કટાક્ષ કર્યા હતા. બીજેપી ઉમેદવારના સમર્થનમાં રાજગઢ જિલ્લાના ખિલચીપુરમાં જાહેર સભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું,'આશિક કા જનાજા હૈ જરા ધૂમ સે નીકલે.'

સનાતન વિરોધીઃ અમિત શાહે પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજયસિંહ પર વાકપ્રહાર કર્યા હતા. અમિત શાહે ભાષણની શરૂઆત રાજગઢ જિલ્લામાં સ્થિત તમામ પ્રતિષ્ઠિત મંદિરોનો ઉલ્લેખ કરીને કરી હતી. જયશ્રી રામના મંત્રોચ્ચાર બાદ અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છેલ્લા 10 વર્ષની ઉપલબ્ધિઓ ગણાવી હતી. આ સિવાય તેમણે રામ મંદિરના અભિષેક સમારોહ માટેના આમંત્રણને નકારવા બદલ કોંગ્રેસના નેતાઓ પર વાકપ્રહાર કર્યા હતા. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ શરૂઆતથી જ સનાતન વિરોધી રહી છે.

  1. તેલંગાણામાં મુસલમાનોની અનામત બંધ કરી દઈશું: તેલંગાણાના સિદ્દીપેટમાં બોલ્યા અમિત શાહ - Amit Shah Statement
  2. ગાંધીનગર લોકસભા સીટ પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુકાબલાની સંભાવના નહિવત,ભાજપની લીડ 2019 અને 2024 વચ્ચે છે - Lok Sabha Election 2024
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.