ગુજરાત

gujarat

By

Published : Dec 1, 2020, 5:34 AM IST

ETV Bharat / videos

પોરબંદર : ગુરુનાનક જયંતી નિમિત્તે પ્રકાશ ઉત્સવની સાદગીપૂર્ણ ઉજવણી

પોરબંદર : શહેરમાં દર વર્ષે ગુરુ નાનક જયંતિ સિંધી સમાજ દ્વારા ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને પગલે સરકારની ગાઇડલાઇન મુજબ સમગ્ર નિયમોને પાલન કરી ગુરુનાનક જયંતીની ઊજવણી કરવામાં આવી હતી. પોરબંદરમાં લક્ષ્મીનગર ખાતે આવેલા ગુરુનાનક મંદિરમાં સોમવારે ગુરુનાનક જયંતીની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તેમ ઓછી સંખ્યામાં એક પછી એક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હતા આ ઉપરાંત પ્રસાદ વિતરણની વ્યવસ્થા પણ પેકેટમાં કરાયું હતું જેથી વધુ ભીડ એકત્રિત ન થાય.

ABOUT THE AUTHOR

...view details