રાજકોટ: અમદાવાદ રાજકોટનું તંત્ર પણ સફાળું જાગ્યુ છે. જિલ્લા કલેકટર રેમ્યા મોહને પ્રેસ કોંફરન્સ યોજી હતી. જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં હાલની સ્થિતિ એટલી બગડી નથી. રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક પણ યોજવામાં આવી છે. હાલ બધું કંટ્રોલમાં હોવાનું જણાવ્યું છે. રાજકોટમાં કરફ્યૂ અંગે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા સાંજ સુધીમાં નિર્ણય લેવામાં આવશે.