સુરેન્દ્રનગર : જોરાવરનગર ખાતે પ્રદેશ કોંગ્રેસના આગેવાન અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસના સેક્રેટરી હિમાંશુભાઈ વ્યાસે મતદાન કર્યું હતું. જોરાવરનગર વૉર્ડ નંબર 10 આવેલી ત્રિમૂર્તિ શાળા ખાતે મતદાન મથકમાં મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસના ઉમેદવારનો વિજય થશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની જીતનો વિશ્વાસ હિમાંસુ વ્યાસે વ્યક્ત કર્યો હતો.