પોરબંદરમાં 'ક્યાર' વાવાઝોડાને લઇ દરિયામાં કરંટ અનુભવાયો
પોરબંદર: મહારાષ્ટ્ર અને પણજીના દરિયાકિનારે સંભવિત 'ક્યાર' સાયકલોનને પગલે દરિયાના મોજામાં વિવિધ જગ્યાએ કરંટ જોવા મળી રહ્યો છે, ત્યારે પોરબંદરના દરિયા કિનારે 'ક્યાર' વાવાઝોડાને લઈને દરિયાના મોજામાં કરંટ અનુભવાયા હતાં, તેમજ મહારાષ્ટ્રથી સાયક્લોન કયાર ગમે ત્યારે સૌરાષ્ટ્રમાં આવી શકે છે. જેના પગલે માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે, તેમજ સુરક્ષાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા જણાવાયું હતું.