સુરેન્દ્રનગર NSUI અને કોંગ્રેસના કલેક્ટર કચેરીએ સૂત્રોચાર સાથે પ્રતિક ધરણા
સુરેન્દ્રનગર: જિલ્લા NSUI અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા JNUના વિદ્યાર્થીઓ અને અમદાવાદ NSUIના કાર્યકર્તાઓ ઉપર થયેલા હિંસક હુમલાના વિરોધમાં કલેક્ટર કચેરીએ સૂત્રોચાર અને પ્રતિક ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમજ ABVPની સામે કલેક્ટર કચેરીમાં ઉગ્ર દેખાવો કર્યા હતા. આગામી સમયમાં પોલીસ તંત્ર કે સરકાર દ્વારા જો યોગ્ય તપાસ કરવામાં નહી આવે તેમજ ABVPના કાર્યકરો સામે કડક કાર્યવાહી નહિં થાય તો ઉગ્ર આદોલનની પણ ચિમકી ઉચ્ચારી છે. આ કાર્યક્રમમાં ક્રોગ્રસ આગેવાનો અને ક્રોગ્રસ, NSUIના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.