બનાસકાંઠાના અંબાજીમાં ST નિગમનું બસ સ્ટેન્ડ જર્જરીત
બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમાં અંદાજે 50 વર્ષ અગાઉ નિર્મિત થયેલું એસ.ટી બસ સ્ટેન્ડ હાલમાં જર્જરિત અને જોખમી બન્યું છે. અંબાજીમાં રોજિંદા હજારોની સંખ્યામાં મુસાફરોની અવરજવર રહેતી હોય છે. બસ સ્ટેન્ડમાં મોટી હોનારત થવાનો પણ ભય સેવાઇ રહ્યો છે. બસસ્ટેન્ડના બિલ્ડિંગના પિલ્લરો પણ ફાટી ગયા છે. બિલ્ડિંગ ગમે ત્યારે પડે તેવો ભય એસ.ટી નિગમના કર્મચારીઓને સતાવી રહ્યો છે. અગાઉ પણ આ બસ સ્ટેન્ડના કર્મચારીઓના રેસ્ટ રૂમમાં પોપડા પડતા કર્મચારીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. આ બિલ્ડિંગનું નવીનીકરણ નહિ કરવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જવાનો ભય પણ સતાવી રહ્યો છે.