ગુજરાત

gujarat

By

Published : Mar 21, 2020, 8:08 AM IST

ETV Bharat / videos

ભાવનગરમાં 144 કલમ લાગુ, 31 માર્ચ સુધી BAPS મંદિર બંધ

ભાવનગરઃ શહેરમાં પ્રસિદ્ધ BAPS અક્ષરવાડીમાં પણ 31 માર્ચ સુધી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તો શહેર જિલ્લાના શિક્ષકો ગલીએ ગલીએ જઈને કોરોના વિશે માહિતગાર કરી સાવચેતીના પગલાં લેવા સમજાવી રહ્યા છે. અક્ષરવાડીના મહંતે વિડીયો બનાવીને સોશીયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેમાં 31 માર્ચ સુધી મંદિરમાં ન આવવા વિનંતી કરવામાં આવી છે. કોરોના વાઈરસના પગલે શહેરમાં 144 કલમ પણ લાગુ કરાઈ છે, ત્યારે શહેર અને જિલ્લાના શિક્ષકો મેદાનમાં ઉતર્યા છે. કોરોના સામે રક્ષણ મેળવવા લોકોને ગલીએ ગલીએ જઈને સમજાવી રહ્યા છે. રિક્ષામાં માઇક લઈને તંત્ર અને શિક્ષકો લોકોને બહાર ન નીકળવા અને શરદી, ઉધરસ, તાવ જણાઇ તો નજીકના સરકારી હોસ્પિટલમાં જવાની સલાહ આપી રહ્યા છે. આ સાથે પત્રિકાઓ વહેંચીને પણ જાગૃતિ લઇ આવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details