ગુજરાત

gujarat

ગાંધી જયંતિએ સરકાર દ્વારા ડિસ્કાઉન્ટ જાહેર ન કરાતા વડોદરામાં ખાદી વેચાણમાં 75 ટકા ફટકો

By

Published : Oct 3, 2020, 2:04 PM IST

વડોદરા: કોરોના મહામારીમાં ગાંધી જયંતિ પૂર્વે વળતરની ન થયેલી જાહેરાતના કારણે આ વખતે ખાદીની ખરીદીમાં 75 ટકા જેટલું વેચાણ ઓછું છે. વર્ષ-2019માં ગાંધી જયંતિના દિવસે જ રૂપિયા 30 લાખનું વેચાણ થયું હતું. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે દર વર્ષે 2જી ઓક્ટોબર ગાંધી જયંતિ પહેલાં જ ખાદીમાં 30 ટકા ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવતું હતું. પરંતુ આ વખતે જાહેર કરવામાં ન આવતા ગાંધી જયંતિના દિવસે ખાદીની ખરીદીમાં 75 ટકા જેટલો ફટકો પડ્યો છે. નોંધનીય છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે 5 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ખાદીમાં 30 ટકા વળતરની જાહેરાત કરી છે. પરંતુ ખાદી ગ્રામોદ્યોગ દ્વારા ખાદી ખરીદનારાઓ ગાંધી જયંતિના દિવસથી 3 દિવસ સુધી ખાદી ખરીદી શકે તે માટે પોતાના સ્ટાફ સહાય ફંડમાંથી 20 ટકા વળતર આપવાનું શરૂ કર્યું છે. જેથી ગાંધી જયંતિના દિવસે ખાદી ખરીદનારાઓ ખાદી ખરીદવા માટે પહોંચી ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details