આપણે તો રજવાડાઓની દેન પણ ન સાચવી શક્યા...!
ભાવનગરઃ શહેરના પ્રથમ રેલવે આપનારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ 1905 આસપાસ ભાવનગર મહુવા રેલવે લાઇનની શરૂઆત કરી હતી. આ લાઇન બંધ થયાને વર્ષો વીતી ગયા અને કોસ્ટલ લાઇન હોવા છતાં મીટર ગેજ કે બ્રોડગેજ લાઇન શરૂ થઇ નથી, પરંતુ આ લાઇન પર આવેલા સ્ટેશનો હજૂ પણ રજવાડાની દેનની હાજરી પુરાવે છે અને જુના દિવસોની યાદ અપાવે છે. ભાવનગરનું પ્રસિદ્ધ નેરોગેજ લાઇનનું તખ્તેશ્વર રેલવે સ્ટેશન ખંઢેર હોવાથી જમીન મનપાને રોડ બનાવવા માટે આપી છે. જેથી રસ્તો પોહળો બનાવવામાં આવી રહ્યો છે, એટલે જૂનું તખ્તેશ્વર રેલવે સ્ટેશન હવે હટાવી દેવામાં આવ્યું છે અને વિકાસના પંથે ત્યાં મનપાએ રસ્તો બનાવ્યો છે.