રાજકોટમાં વાયુ વાવાઝોડાથી બચવા સામૂહિક પ્રાર્થના તેમજ રામધુનનું આયોજન કરાયું
રાજકોટ: વાયુ પ્રકોપથી બચવા ધોરાજીમાં ભુદેવા દ્વારા સામૂહિક પ્રાર્થના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ સ્વયંભુ પંચનાથ મહાદેવને ભુદેવો દ્વારા વેધકતા - શાસ્ત્રોકત શ્લોક બોલવામાં આવ્યા હતા. શ્રી સર્વેશ્વર મહાદેવ મંદિર ખાતે શહેરના પુનિતનગર, માલવિયાનગર, રૈયાણીનગર, નારાયણનગર તેમજ આસોપાલવ સોસાયટીમાં રહેતી મહિલાઓએ એકત્રિત થઈ ગુજરાત પર આવનારી વાયુ તોફાની આફતને શાંત કરવા માટે ધૂન- ભજન ગાવા આવ્યા હતા સાથે ઇશ્વરની આરાધના કરી તમામ જીવના રક્ષણ માટે પ્રાર્થના કરાઇ હતી.