ગુજરાત

gujarat

By

Published : Aug 16, 2020, 7:33 PM IST

ETV Bharat / videos

ભાવનગરઃ વલ્લભીપુર તાલુકાના નસિતપુર ગામ પાસે કેરી નદી પર પુલ બાંધવા લોકોની માગ

ભાવનગરઃ વલ્લભીપુર તાલુકાનું નસીતપુર ગામ પાયાની સુવિધાઓથી આજે પણ વંચિત છે. નસીતપુર ગામ પાસેથી કેરી નદી વહે છે. જે દર ચોમાસામાં બે કાંઠે વહેતી થાય છે. આ નદી પર પુલ કે અન્ય કોઇ સવલત ન હોવાના કારણે સ્થાનિક લોકો તેમજ માલધારી પોતાના પશુઓના જીવના જોખમે નદી પાર કરવાની ફરજ પડે છે. આ નદી પર પુલ બાંધવા તંત્ર સામે અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતા પુલ બાંધવામાં આવ્યો નથી. નદી પાર કરતા સમયે કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની?

ABOUT THE AUTHOR

...view details