લોકડાઉનના પગલે હરિદ્વારમાં ફસાયેલા લોકોનું ગુજરાતમાં આગમન
અરવલ્લી: ઉત્તરાખંડના હરિદ્વારમાં લોકડાઉનના કારણે ગુજરાતના રાજકોટ, જામનગર, સુરતના 1800 લોકો ફસાયેલા હતા. શનિવારની સાંજે આ યાત્રિકોનું રાજસ્થાન બોર્ડર પર આવેલા ગુજરાતના અણસોલ ચેકપોસ્ટ પર આગમન થયું હતું. જ્યાં તેમનું સ્વાસ્થ્ય અંગેનું સ્ક્રિનિંગ તેમજ તેમના નામ અને ઠેકાણા અંગેની માહિતી મેળવી તેઓને રવાના કરવામાં આવ્યા હતા.