પાટણઃ કોરોના મહામારીનો કહેર દિવસે-દિવસે વધતો જાય છે અને લોકો આ રોગના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. સમગ્ર ભારત દેશમાં રોજે-રોજ કોરોનાના નવા રેકોર્ડ બ્રેક કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે પાટણ શહેર સહિત જિલ્લામાં પણ કોરોના બેકાબુ બન્યો છે અને આ રોગના ચેપમાં અનેક લોકો સપડાયા છે. ત્યારે પાટણ શહેર સહિત જિલ્લામાંથી અને દેશમાંથી કોરોના મહામારી નાબૂદ થાય તે માટે પાટણમાં મુસ્લિમ બિરાદરોએ ઇદગાહ ખાતે નમાઝ અદા કરી હતી. નમાજીઓએ સોશિયલ ડીસ્ટન્સ સાથે નમાજ અદા કર્યા બાદ ભારત અને ગુજરાતમાંથી કોરોના મહામારી નાબૂદ થાય એ માટે દુઆ કરી હતી. સાથે ઇદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ સરકારના નિયમોનું પાલન કરવા સોશિયલ ડીસ્ટન્સ જાળવવા તેમજ માસ્ક ફરજિયાત પહેરવા અંગેના શપથ લીધા હતા.