મોરારીબાપુ પર હુમલાના પ્રયાસને લઇ મહુવાના વેપારીઓએ પાળ્યું સજ્જડ બંધ
ભાવનગરઃ કૃષ્ણ ભગવાન પર મોરારીબાપુએ કરેલી ટિપ્પણી અને બાદમાં 18 જૂનના રોજ દ્વારકા ખાતે તે બાબતે માફી માંગવા જવાની ઘટનામાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા કરાયેલા હુમલાના નિષ્ફળ પ્રયાસને લઈ આજે શનિવારના રોજ મહુવા શહેર રોષે ભરાયું છે. જેમાં મહુવાના તમામ વેપારીઓ સંગઠનોએ પોતાના વેપાર ધંધા બંધ રાખી મોરારીબાપુ પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી છે. જ્યારે ભવિષ્યમાં પણ બાપુ સાથે કોઈ આવો વ્યવહાર કરશે તો મહુવાની પ્રજા તેને ક્યારેય માફ નહિં કરે.