ગુજરાત

gujarat

ETV Bharat / videos

મોરારીબાપુ પર હુમલાના પ્રયાસને લઇ મહુવાના વેપારીઓએ પાળ્યું સજ્જડ બંધ

By

Published : Jun 20, 2020, 4:02 PM IST

ભાવનગરઃ કૃષ્ણ ભગવાન પર મોરારીબાપુએ કરેલી ટિપ્પણી અને બાદમાં 18 જૂનના રોજ દ્વારકા ખાતે તે બાબતે માફી માંગવા જવાની ઘટનામાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા કરાયેલા હુમલાના નિષ્ફળ પ્રયાસને લઈ આજે શનિવારના રોજ મહુવા શહેર રોષે ભરાયું છે. જેમાં મહુવાના તમામ વેપારીઓ સંગઠનોએ પોતાના વેપાર ધંધા બંધ રાખી મોરારીબાપુ પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી છે. જ્યારે ભવિષ્યમાં પણ બાપુ સાથે કોઈ આવો વ્યવહાર કરશે તો મહુવાની પ્રજા તેને ક્યારેય માફ નહિં કરે.

ABOUT THE AUTHOR

...view details