'મહા' વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ, દમણમાં પ્રવાસીઓનો ધસારો ઘટ્યો
દમણ: 'મહા' વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ છે એ સાથે જ દમણમાં ત્રણ દિવસથી લોકોએ સ્વૈચ્છિક રીતે બંધ રખતા દમણમાં પ્રવાસીઓનો ઘટાડો નોંધાયો છે. ત્યારે પ્રશાસને આરોગ્ય વિભાગ, PWD વિભાગ સાથે બેઠક કરી વાવાઝોડાને લગતી સુચના આપીને માછીમારોને દરિયો નહીં ખેડવાની અપીલ કરી છે.