ગોંડલમાં કોરોના સંદર્ભે 3 કારખાનાના માલિકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ
રાજકોટઃ જિલ્લાના ગોંડલ ઘોઘાવદર રોડ પર આવેલ પીઢિયા પાપડાના ત્રણ કારખાનાઓના મજૂરો કોરોના દહેશતના પગલે ચાલી રહેલા લોકડાઉનમાં પોતાના વતનમાં જવા નીકળ્યા હતા. કારખાનાના માલિકોએ આ બાબતે કાળજી નહીં લેતા ત્રણેય કારખાનાના માલિકો વિરુધમાં ipc કલમ 269 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.