દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના આહિર સમાજ એક સાથે આવીને ખંભાળિયા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં મોરારીબાપુ પર થયેલા હુમલાના પ્રયાસના પડઘા પડ્યા છે, આહિર સમાજે જિલ્લા કલેકટર અને એસ.પી.ને આવેદન પત્ર આપી વિરોધ નોધાવ્યો હતો. દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના આહિર સમાજ ખંભાળિયા કલેક્ટર કચેરીએ અને જિલ્લા એસ.પી.ને આવેદન પત્ર આપ્યું હતું. દ્વારકા જિલ્લાના આહીર સમાજમાં પબુભા માણેક વિરુદ્ધ રોષ ઠાલવતાં જણાવ્યું કે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. તેમજ આહીર સમાજ દ્વારા આ મામલે પબુભા માણેક મોરારીબાપુની અને આહિર સમાજની માફી માંગે તેવી માંગ કરાઈ હતી.