કેશોદના રાણીંગપરા ગામે આરોગ્ય ધન્વંતરી સેવા રથનું આગમન
જૂનાગઢ: સમગ્ર ભારત સહિત વિશ્વમાં કોરોના મહામારીએ કહેર મચાવ્યો છે, ત્યારે સરકાર દ્વારા કોવિડ-19 સર્વેલન્સ કોરોના વિશે લોકોને માર્ગદર્શન માટે આરોગ્ય ધન્વંતરી રથ દ્વારા આરોગ્ય સેવાઓ સાથે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. કેશોદ તાલુકા હેલ્થ કચેરી દ્વારા કેશોદ તાલુકાના રાણીંગપરા ગામે ગ્રામ પંચાયત ખાતે આરોગ્ય ધન્વંતરી રથના માધ્યમથી કોરોના વિશે લોકોને માર્ગદર્શન અને આરોગ્ય શિક્ષણ તેમજ રોગ પ્રતિકારક શકિત વર્ધક હોમિયોપેથીક આયુર્વેદિક વિટામીનની દવાઓનું વિતરણ તથા આરોગ્ય સેતુ એપનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય કર્મચારીઓએ સેવા આપી હતી. જેનો ગ્રામજનોએ લાભ લીધો હતો.