ગુજરાત

gujarat

આચારસંહિતા લાગે તે પહેલાં નવસારીમાં CRPFની ટુકડી તહેનાત, જવાનોએ મેળવી રૂટની માહિતી

By

Published : Nov 1, 2022, 3:21 PM IST

Published : Nov 1, 2022, 3:21 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

નવસારીમાં ચૂંટણીને ધ્યાનમાં રાખી સેન્ટ્રલ રિઝર્વ પોલીસની 40 જવાનોની ટુકડી આવી પહોંચી છે. આ જવાનોને વિશાખાપટ્ટનમથી બોલાવવામાં આવ્યા છે. ત્યારે જિલ્લામાં આ જવાનોએ ફૂટ પેટ્રોલિંગ કરી એરિયા ડોમિનેશનનું કાર્ય પૂર્ણ કર્યું હતું. સાથે જ જવાનોએ જૂનાથાણાથી લઈને મોટા બજાર, ગોલવાડ, ચારપૂલ સહિતના વિસ્તારોમાં સ્થાનિક પોલીસ સાથે મળીને રૂટની માહિતી મેળવી હતી. સંભવિત રીતે રાજ્યમાં આવતીકાલ સાંજ સુધીમાં ઔપચારિક રીતે આદર્શ આચારસંહિતા જાહેર થઈ શકે છે. તે પહેલા જ CRPFના જવાનોને તહેનાત કરી દેવાયા છે. CRPF Jawan deployed in navsari before code of conduct in gujarat Gujarat Assembly Election 2022
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details