રાજકોટઃ રાજકોટમાં સોમવારે આજીડેમ ખાતે ઓવર બ્રિજની દીવાલ ધરાસાયી થતાં બે લોકોના મોત થયાની વાત હજી સમી નથી ત્યાં ફરી એક વાર રાજકોટ મનપા તંત્રની બેદરકારી સામે આવી છે. રાજકોટ મનપાના સોલિડ વેસ્ટ વિભાગના સ્ટોર રૂમનો લાખો રૂપિયાનો માલ સામાન વરસાદમાં સડી રહ્યો છે. જેમાં નવી અલગ અલગ કચરા પેટી, પિંજરા સહિત, મોટી કચરા પેટીઓ સહિતનો માલ સામાન છે. જ્યારે સ્ટોર રૂમ અંદરથી વિદેશી દારૂની ખાલી બોટલો પણ મળી આવતા મનપા તંત્રની ઓફીસ સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.