ગુજરાત

gujarat

મેંદરડા નજીક પવિત્ર શ્રાવણ માસમાં ઓમકારેશ્વર મહાદેવની કરાઈ પ્રાણ પ્રતિષ્ઠા

By

Published : Sep 5, 2021, 5:21 PM IST

મેંદરડા તાલુકાના કનકાઈ માતાજી મંદિર પરિસરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઓમકારેશ્વર મહાદેવની સ્થાપના ધાર્મિક વિધિ-વિધાન અને પૂજા વિધિ સાથે કરવામાં આવી હતી. અહીં વર્ષોથી માતા કનકાઈ દર્શન આપી રહ્યા હતા, ત્યારે હવે ઓમકારેશ્વર મહાદેવ પણ શિવ ભક્તોને દર્શન આપશે. પવિત્ર શ્રાવણ માસમાં શિવાલયની સ્થાપનાને લઈને ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. જે શ્રાવણ માસમાં શિવભક્તો માટે અનન્ય શ્રદ્ધાનું કેન્દ્ર બની રહેશે.

ABOUT THE AUTHOR

...view details