ભાવનગરઃ નિસર્ગ વાવાઝોડાની અસર બાદ આવેલા વાતાવરણના કારણે ત્રીજા દિવસે પણ મેઘરાજાની એન્ટ્રી રહી છે. અડધાથી ઇંચ વધુ વરસાદ શહેર અને જિલ્લામાં ત્રણ દિવસથી વરસી રહ્યો છે. ચોમાસાના આશરે 7 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે અને આગામી દિવસોમાં વરસાદ સારો રહેવાની આશા સેવાઇ રહી છે.