કરતાપુર સાહેબના દર્શનનો ખર્ચ છત્તીસગઢ સરકાર આપશે: CM બઘેલ
દુર્ગ : ગુરૂનાનક જયંતીના પ્રસંગ પર છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ દુર્ગ જિલ્લાના મોહન નગર સ્થિત ગુરુદ્વારા પહોંચ્યા હતા. મુખ્યપ્રધાને બઘેલે શીખ સમાજને મોટી ભેટ આપી હતી. CM ભૂપેશ બઘેલે જાહેરાત કરી હતી કે, જે લોકો કરતારપુર સાહેબના દર્શન કરવાની ઇચ્છા રાખતા હોય તેના માટે છત્તીસગઢ સરકાર રેલવે મુસાફરીનો ખર્ચ આપશે. રેલવે મંત્રાલયનો સંપર્ક કરીને ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવશે. અને તેઓ આરામથી કરતારપુર સાહેબના દર્શન કરવા જઇ શકશે.