ગુજરાત

gujarat

ETV Bharat / state

વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધી, ડેમના 5 દરવાજા ખોલાયા

વલસાડઃ જિલ્લામાં મેઘમહેરની સ્થિતિ યથાવત રહી છે. ત્યારે ગત 24 કલાકમાં કુલ 169 mm જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે શનિવારે સવારે 6થી 8 દરમિયાન 65 mm જેટલો વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. હાલ મધુબન ડેમમાં 17904 ક્યુસેક જેટલી આવક વધી રહી છે, જેને લઇને ડેમના 5 જેટલા દરવાજા 1 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.

By

Published : Jul 6, 2019, 11:59 AM IST

ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધી

વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘમહેર યથાવત્ છે. ત્યારે સૌથી વધુ વરસાદ ધરમપુર તાલુકામાં નોંધાયો છે, વાત કરીએ છેલ્લા 24 કલાકની તો 24 કલાકમાં કુલ 169 mm જેટલો વરસાદ વલસાડ જિલ્લાના વિવિધ તાલુકામાં નોંધાયો છે. ઉમરગામમાં 10 mm કપરાડામાં 23 mm ધરમપુરમાં 21 mm પારડી તાલુકામાં 16 mm વલસાડ તાલુકામાં 25 mm જ્યારે વાપી તાલુકામાં 75 mm મળી 24 કલાકમાં 169 mm જેટલો વરસાદ નોંધાયો છે. તો આજે વહેલી સવારે 6થી 8 દરમિયાન વિવિધ તાલુકાઓમાં મળી 65 mm જેટલો વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ વરસાદ ધરમપુર તાલુકામાં 15 mm જેટલો નોંધાયો છે.

ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. વરસાદ પૂર્વે જે પાણીની સપાટી 63.30 મીટર હતી, તે હાલમાં વધી ને 72.30 મીટર ઉપર પહોંચી છે. આ વધારાને ધ્યાનમાં રાખી ડેમના પાણીનું લેવલ જાળવી રાખવા માટે ડેમના 5 દરવાજા 1 મીટર સુધી ખોલી 19,434 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે 17904 ક્યુસેક જેટલું પાણીની આવક મધુબન ડેમમાં નોંધાઈ છે, તો સાથે સાથે હજુ પણ ધરમપુર અને કપરાડા જેવા તાલુકાઓમાં સતત મેઘરાજાની મહેર વરસી રહી છે.

ABOUT THE AUTHOR

...view details