વલસાડ: શનિવારે શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવેલા આ શિક્ષકો પૈકી તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોમાં ખારવેલ પ્રાથમિક શાળાના હર્ષાબેન પરમાર અને નાના પોયડા પ્રાથમિક શાળાના નેહલભાઈ રમેશભાઈ પટેલ તેમજ જિલ્લા કક્ષાના શિક્ષકોમાં ફલધરા માધ્યમિક શાળાના વિપુલભાઈ પટેલ, સી.આર.સી રોણવેલ કૃણાલભાઈ જે પટેલ અને અંબાસર પ્રાથમિક શાળાના જગદીશભાઇ આર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગીય પ્રણવ મુખરજીને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
વલસાડ: શિક્ષકદિન નિમિત્તે આદિજાતિ વિકાસ પ્રધાનના હસ્તે પાંચ શિક્ષકોનું સન્માન કરાયું
વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તથા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આયોજિત ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતી શિક્ષકદિન નિમિત્તે બીએપીએસ સ્વામિનારાયણ હાઇસ્કુલ અબ્રામા ખાતે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાર્યરત તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પર્યાવરણ તથા આદિજાતિ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરના હસ્તે તાલુકા કક્ષાના 2 અને જિલ્લા કક્ષાના 3 શિક્ષકોનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
શિક્ષકદિન નિમિત્તે આદિજાતિ વિકાસ પ્રધાનના હસ્તે પાંચ શિક્ષકોનું સન્માન કરાયું
આ પણ વાંચો - આજે શિક્ષક દિવસ
ભારતના મહાન તત્વજ્ઞાની, વિદ્વાન અને રાજકારણી એવા સર્વપલ્લી રાધાકૃષ્ણનની આજે 132મી જન્મજયંતિ છે. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5મી સપ્ટેમ્બર 1888ના રોજ બ્રિટિશરોના તાબામાં આવતા મદ્રાસ પ્રાંતમાં થયો હતો. તેમના સિધ્ધાંતો અને ઉપદેશોની સમગ્ર વિશ્વમાં ઉંડી અસર થઇ હતી.